સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ ડ્રગ્સને લઈને તપાસ તેજ ચાલી રહી છે. ત્યારે NCBની ટીમે ગોવામાં દરોડા પાડયા હતા. કૈઝાન, અનુજ કેશવાનીની પૂછપરછમાં ખુલાસાના આઘારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.
સુશાંત આત્મહત્યા કેસ
ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ
7 માફિયાની ધરપકડ કરાઈ
ઉલ્લેખનીય છે કે, આ દરોડામાં NCBની ટીમને મહત્વની સફળતા મળી છે. દરોડામાં મુંબઈથી ગોવાના ડ્રગ્સ પેડલરો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. આ ઉપરાંત 7 મોટા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે.
NCBએ ઋિષેકેશ પવારની અટકાયત કરી
આપને જણાવી દઇએ કે, રમજીત મુખ્ય પેડલર હોવાનું સામે આવ્યું છે અને તેની પણ હાલ ધરપકડ કરાઈ છે. હાલ NCBએ ઋિષેકેશ પવારની અટકાયત કરી છે દીપેશ સાવંતે પવારનું નામ પોતાના નિવેદનમાં આપ્યું હતું. ઋષીકેશ સુશાંતસીંહ રાજપૂતના સ્ટાફમાં હતો. હાલ આ તમામ લોકોની પૂછપરછ બાદ બોલિવૂડના અને મોટા નેતાઓના નામ ખુલવાની આશંકા વ્યકત કરાઈ રહી છે.
મુંબઈ અને ગોવામાં જે રેડ પાડવામાં આવી હતી
મળતી માહિતી મુજબ મુંબઈ અને ગોવામાં જે રેડ પાડવામાં આવી છે તે ધડપકડ કરાયેલા અનુજ કેશવાનીએ આપેલી માહિતીના આધારે થઈ છે. મોટા ભાગના 6 લોકેશન પર રેડ ડ્રગ્સ પેડલરના ઠેકાણા પર થઈ છે. આ મામલામાં અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અનુજ કેશવાનીને રિયાના ડ્રગ્સ કનેક્શન દરમિયાન પકડવામાં આવ્યો હતો. અનુજે પુછપરછમાં અનેક નામના ખુલાસા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ધરપકડ કેઝાન ઈબ્રાહિમની ઈન્ફરમેશન પર થઈ છે.
શું છે સમગ્ર મામલો
આપને જણાવી દઇએ કે, સુશાંતના મોત મામલામાં ડ્રગ્સનો એન્ગલ આવ્યા બાદ NCBએ તપાસ શરૂ કરી હતી. NCBએ કૈઝાન અને કેટલાક ડ્રગ પેડલરોને કસ્ટડીમાં લીધા બાદ રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શોવિક ચક્રવર્તીની ધરપકડ કરી છે. 3 દિવસથી વધુ ચાલેલી તપાસ બાદ રિયા ચક્રવર્તીની NCBએ ધરપકડ કરી હતી.