ડ્રગ્સ કનેક્શન મામલે NCB આખરે હરકતમાં આવ્યું છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં રેડ પાડી છે જેમાંથી મૂળ હિમાચલ પ્રદેશનાં ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. એનસીબીએ મુંબઇમાંથી ડ્રગ્સ પેડલર રાહિલ વિશ્રામની ધરપકડ કરી છે. અને તેની પાસેથી મોટા પ્રમાણમાં જથ્થો પણ જપ્ત કર્યો છે.
બોલીવૂડને ડ્રગ્સ સપ્લાય કરનારાઓમાં મોટું નામ છે રાહિલ
NCB Mumbai deatained one Rahil Vishram with 1 kg Charas of Himachal Pradesh. NCB also seized Rs 4.5 Lakhs cash from him. He is directly connected to other peddlers related to #SushantSinghRajput death case: Narcotics Control Bureau (NCB) Zonal Director
રાહિલ વિશ્રામ પાસેથી 3થી 4 કરોડની કિંમતનું 1 કિલો ચરસ પણ ઝડપાયું છે. રાહિલ પાસેથી 4.5 લાખની રોકડ રકમ પણ મળી આવી છે. નોંધનીય છે કે, બોલીવૂડને ડ્રગ્સ સપ્લાય કરનારાઓમાં રાહિલ મોટું નામ છે. સુશાંત કેસમાં અન્ય પેડલર્સ સાથે રાહિલ પણ સંપર્કમાં હતો. અગાઉ ડ્રગ કનેક્શન મામલે 2ની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાલ NCB દ્વારા રાહુલ વિશ્રામના બોસની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
એનસીબીના જોનલ ડાયરેક્ટરે આ જાણકારી આપી હતી કે રાહિલ સુશાંત સિંહ રાજપૂત મોતના કેસમાં જોડાયેલા અન્ય પેડલરો સાથે સીધો જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે રાહિલ વિશ્રામમાં રિયાના ભાઈ શૌવિક સાથે પણ સંબંધ હોવાનું સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે શૌવિક અને રાહિલના સંબંધોમાં કેટલું તથ્ય છે એ અંગે તપાસ હાથ ધરાયી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની મોતનું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. જેમાં એમ્સની ફોરેન્સિક ટીમ એક્ટરના મોતના કારણને લઈને આજે ખુલાસો કરશે. આજે સુંશાંત સિંહ રાજપૂતના વિસેરાનો રિપોર્ટ આવશે. વિસેરા રિપોર્ટ મળ્યા બાદ એમ્સના ડૉક્ટરોની પેનલ સુશાંતની મોતની હકિકત પર ફાઈનલ મીટિંગ કરશે. આ બેઠકમાં વિસેરા અને પોસ્ટમોર્ટમ રિપોટ પર વાત થશે. બીજી તરફ શૌવિક અને મિરાંડાની જામીન અરજી પણ આજે કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.