નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયાની વચ્ચે શું બધુ બરાબર થવાનું છે? એક્ટરે આ સંબંધને એક મોકો આપવા માટે એક પગલું ભર્યું છે.
નવાઝ કરશે પત્ની આલિયા સાથે સમાધાન?
એક્ટર રિલેશનને આપી શકે છે મોકો
100 કરોડનો છે માનહાનિ કેસ
નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રોફેશનલ લાઈફ તો શાનદાર ચાલી રહી છે પરંતુ તેમની પર્સનલ લાઈફ ખૂબ જ વિવાદિત છે. આલિયા અને નવાઝના સંબંધમાં ખૂબ જ ખટાસ આવી ગઈ છે. બન્નેની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલી રહ્યો છે.
આલિયાએ જ્યાં નવાઝુદ્દીન પર રેપનો કેસ નોંધાવ્યો છે. તો ત્યાં જ અભિનેતાએ પોતાની પત્ની અને ભાઈ શમ્સુદ્દીન સિદ્દીકી પર 100 કરોડનો માનહાનિ કેસ કર્યો છે. આ વિવાગોની વચ્ચે હવે ખબર આવી રહી છે કે આ બન્ને ઝગડાને ભુલાવવા માંગે છે.
શું નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાની વચ્ચે બધુ બરાબર?
જી હાં, નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની આલિયાની વચ્ચે બધું બરાબર થવા જઈ રહ્યું છે. એવી ખબર સામે આવી રહી છે. અભિનેતા તેના માટે આગળ વધી ચુક્યા છે.
સેટલમેન્ટ બાદ આલિયા તેના પતિ નવાઝુદ્દીન સિદ્દીકીની પાસે જતી રહેશે એવી ખબર સામે આવી રહી છે. મામલામાં આલિયાના વકીલ રિઝવાન સિદ્ધિકીએ રિએક્ટ કરતા વાત સાચી હોવાનું જણાવ્યું છે.
નવાઝુદ્દીને આ રિલેશન માટે ઉઠાવ્યું પગલુ
એક રિપોર્ટ અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકીએ સમાધાન કરવા માટે પહેલું સ્ટેપ ઉઠાવ્યું છે. અભિનેતાએ આલિયાને એક નોટિસ મોકલી હતી જેમાં અમુક શરતો હતો. તેમાં લખેલું હતું કે બન્ને આ મામલા પર વાતચીત કરશે. તેમના લગ્ન જીવનમાં જે વિવાદ થઈ રહ્યો છે તેના પર મળીને વાત કરશે.
જણાવી દઈએ કે વિવાદોની વચ્ચે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાએ એક બીજા પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને કોર્ટ સુધી તેમનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.