પાકિસ્તાનની સેના અને ઈમરાન ખાન વચ્ચે થયેલા વિવાદને કારણે આ બન્યું
પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. કારણે કે પાકિસ્તાનની સેનાએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દેશમાં પરત ફરવાના સંકેત આપ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવાઝ શરીફને કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાનને તામરી જરૂર છે.તેઓ એ પાછા આવવું જોઈએ પાકિસ્તાનની સેના અને વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આ બન્યું છે. આ અંતર્ગત હવે નવાઝ શરીફને બોલાવીને ઈમરાન ખાનને બહારનો રસ્તો બતાવવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે, નવાઝ શરીફને પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. એક એવનફિલ્ડ પ્રોપર્ટી કેસ અને બીજો અલ અઝીઝિયા મિલ્સ કેસ, ડિસેમ્બર 2019માં ઈસ્લામાબાદ હાઈકોર્ટ દ્વારા તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે કોર્ટમાં હાજર થયો ન હતો, કોર્ટે નવાઝ શરીફને અપ્રમાણસર સંપત્તિ બનાવવા અને આવકન સ્ત્રોત ન જાણવા બદલ 10 વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે એવનફિલ્ડ કેસમાં તેમને તપાસમાં સહકાર ન આપવા બદલ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
હાલ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લંડનમાં છે
એ જ વર્ષે નવાઝ શરીફને પણ અલ અઝીઝિયા સ્ટીલ મિલ્સ ભ્રષ્ટાચાર કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મિલોમાં ગેરકાયદે રોકાણ મળી આવ્યું હતું. સજા વારાફરતી ચાલતી હતી. હાલ નવાઝ શરીફ લંડનમાં રહે છે. નવેમ્બર 2019 ના રોજ લાહોર હાઈકોર્ટ દ્વારા તેમને સારવાર માટે ચાર અઠવાડિયા સુધી જવા માટે રાહત આપવામાં આવી હતી. મહત્વનું છે કે, ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ રાણા એમ શમીમે એક એફિડેવિટ દાખલ કરીને દાવો કર્યો છે કે, તત્કાલિન સીજેપી સાકિબ નિસારે હાઈકોર્ટના ન્યાયાધીશને આદેશ આપ્યો હતો કે, નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝને 2018ની સામાન્ય ચૂંટણી પહેલા જામીન પર છોડવામાં ન આવે. સુત્રોના જણાવ્યા અનુસાર એફિડેવિટ સેનાની પરવાનગીથી જ દાખલ કરવામાં આવી છે