શિવસેના, કોંગ્રેસ અને NCPએ સુપ્રીમ કોર્ટમાં અરજીની સાથે 288 સભ્યની વિધાનસભામાં 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. અરજી કરતાઓએ સુપ્રીમ કોર્ટને બની શકે તેટલું વહેલું સંભવ થયા તો રવિવારે જ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવની ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપવાની અપીલ કરી છે. ત્યાર બીજી તરફ શરદ પવાર સાથે બેઠક બાદ NCPના ધારાસભ્યોને બસથી એક સાથે રવાના કરી દેવાયા છે. પાર્ટીના સૂત્રો અનુસાર તમામ ધારાસભ્યોને હોટલ રેની સેંસ શિફ્ટ કરવામાં આવ્યા છે.
ત્રણેય પક્ષોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં કાલે 11-30 વાગે સુનાવણી
NCPના નવાબ મલિકનું મોટુ નિવેદન
નવાબ મલિકે કહ્યું કે, 5 ધારાસભ્યો સંપર્કમાં નથી. 6 ધારાસભ્યો પહોંચવાના છે. અજીત પવારના નિર્ણય સાથે NCP સહમત નહીં. ફડણવીસ 30 તારીખે બહુમત સાબિત નહીં કરી શકે. અજીત પવારના નિર્ણય મુદ્દે NCPની બેઠકમાં ઠરાવ પસાર કરાયો છે. અજીત પવારને ધારાસભ્ય દળના નેતાના પદેથી દૂર કરાયા છે. NCP, કોંગ્રેસ અને શિવસેના સરકાર બનાવશે.
Nawab Malik, NCP: 5 of our MLAs are not in contact with us, 6 are about to arrive&rest have arrived. On the basis of numbers we have, we'll defeat the government in election of speaker itself. After which, Shiv Sena-NCP-Congress government will definitely be formed in Maharashtra pic.twitter.com/bDArinlvgJ
NCPની બેઠકમાં અજિત પવાર પર મોટી કાર્યવાહી કરાઇ છે. NCP ચીફ શરદ પવારે પોતાના ભત્રીજા ધારાસભ્ય દળના નેતાના પદેથી અજિત પવારને હટાવી દેવાયા છે. તેમની જગ્યાએ જયંત પાટિલને ધારાસભ્ય દળના નેતા બનાવાયા છે.
મુંબઇમાં જ રહેશે શિવસેના ધારાસભ્ય
શિવસેનાના ધારાસભ્ય રાજકીય ઘમાસાણ વચ્ચે મુંબઇમાં જ રહેશે. પાર્ટી ધારાસભ્ય મુંબઇમાંથી બહાર નહીં જાય. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ધારાસભ્યોને જયપુર મોકલવાની ચર્ચા છે.
રાજ્યપાલની સામે ધારાસભ્યોની પરેડ કરાવવાની તૈયારીમાં ત્રણ દળ
મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ રાજકીય જંગ છેડાઇ છે. હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ત્રણેય દળ રાજ્યપાલના દિલ્હીથી પરત ફર્યા બાદ તેમની સામે ધારાસભ્યોની પરેડ કરાવવાની તૈયારીમાં છે.
શરદ પવારે કહ્યું- બધું કંટ્રોલમાં છે
એનસીપી સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને અશોક ચૌહાણ સાથે અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. પવારે આ નેતાઓને કહ્યું કે બધુ કંટ્રોલમાં છે.