મહારાષ્ટ્રનાં મંત્રી નવાબ મલિકે અમદાવાદની એસ જી હાઈ વે પર આવેલી ફાઈવસ્ટાર નોવાટેલ હોટેલમાં મનીષ ભાનુશાળી અને ગોસાવી રોકાયાનો સનસનીખેજ આરોપ લગાવ્યો
ડ્રગ્સકાંડ અને નોવાટેલ હોટેલને શો સંબંધ ?
ભાનુશાળી-ગોસાવી નોવાટેલમાં રોકાયાનો આક્ષેપ
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના તાતા-તીર
મુંબઈ ક્રુઝ પર માદક દ્રવ્ય દ્વારકામાં નશીલા પદાર્થ અને બે સંદિગ્ધ વ્યક્તિ મનીષ ભાનુશાળી અને ગોસાવીના સંબંધને લઈને મહારાષ્ટ્રનાં મંત્રી નવાબ મલિકે ગુજરાત સરકારના મંત્રી સામે આક્ષેપ કર્યા છે,અને અમદાવાદની એસ જી હાઈ વે પર આવેલી ફાઈવસ્ટાર નોવાટેલ હોટેલમાં મનીષ ભાનુશાળી અને ગોસાવી રોકાયાનો સનસનીખેજ આરોપ પણ લગાવ્યો છે.જો કે ફાઈવસ્ટાર હોટેલે પોતાના ગ્રાહકો અંગે કોઈ માહિતી આપી શકે નહિ તેમ કહીને,સમગ્ર વિવાદ સાથે મીડિયાને કોઈ માહિતી નથી આપી. સંભવ છે કે, ગુજરાત કે મહારાષ્ટ્ર પોલીસ જ્યારે મનીષ ભાનુશાળી અને ગોસાવી અંગે માહિતી માંગશે તો હોટેલ મેનેજમેન્ટ સહકાર આપી શકે છે.
મંત્રીએ કહ્યું ;મારે કોઈ સાથે નાતો નહિ
ડ્રગ્સ કાંડ મામલામાં એક બાદ એક નવા વળાંકો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ગુજરાતથી જ ડ્રગ કનેક્શન જોડવાનો પ્રયત્ન કર્યો છે. મલિકે તાજેતરમાં જ દ્વારકામાં પકડાયેલ 350 કરોડના ડ્રગ નો ઉલ્લેખ કર્યો હતો.સાથે જ ક્રુઝ ડ્રગ્સ ના આરોપી ભાનુશાળી, ગોસાવી અને સુનિલ પાટીલ અવાર-નવાર અમદાવાદની અવરજવર કરતા હોવાના આક્ષેપો કર્યા છે.. તેમને દાવો કર્યો છે કે આ આરોપીઓ અમદાવાદની નોવોટેલ હોટેલમાં રોકાતા હતા.અને ગુજરાત સરકારના મંત્રી સાથે ઘરોબો ધરાવે છે. નવાબ માલિકના આરોપો બાદ વીટીવી ની ટીમ અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલ નોવોટેલ હોટલ પહોંચી હતી.જ્યાં એમના ગેસ્ટ વિશે તેઓ કંઈપણ માહિતી ના આપતા હોવાનું જણાવ્યું હતું. મહત્વનું છે કે ગોસાવી અને ભાનુશાલી ના સંબંધો ગુજરાતના એક મંત્રી સાથે હોવાનું તેમને ફોટાઓ જાહેર કરીને જણાવ્યું હતું અને સાથે જ ગુજરાતી જ ડ્રગ્સ સિન્ડિકેટ કાર્યરત હોવાના પણ આક્ષેપો તેમને કર્યા છે.
નવાબ માલિકના આરોપોને રાજ્યના મંત્રી કીરિટ સિંહ રાણા અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ફગાવી દીધા છે કિરીટસિંહ રાણાએ આક્ષેપો ફગાવતા કહ્યું કે, હું કોઈ ને મળ્યો નથી અને મારે કોઈ સાથે નાતો નથી.
જીતુ વાઘાણીએ નવાબ મલિકને ફેંક્યો પડકાર
તો સરકારના પ્રવકતા જીતુ વાઘાણી કિરીટસિંહના બચાવમાં ઉતર્યા છે. તેમણે નવાબ મલિકને પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અને NCP પોતાના મોઢા અરીસામાં જોઈ લે. હું કિરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું. NCP પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે.