આજે ભારતીય નૌસેના દિવસ છે. દર વર્ષે 4 ડિસેમ્બરે ભારતમાં નૌકાદળના નાયકોને યાદ કરવામાં આવે છે અને નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે આ દિવસે ભારત- પાકિસ્તાનના યુદ્ધની કઈ રીતે થઈ હતી શરૂઆત.
આજે ભારતીય નૌસેના દિવસ
જાણો 'ઓપરેશન ટ્રાઇડન્ટ' સાથે જોડાયેલી ખાસ વાતો
આવી રીતે થઈ હતી ભારત -પાકિસ્તાનના યુદ્ધની શરૂઆત
શા માટે ઉજવવામાં આવે છે નૌસેના દિવસ
મુદ્દો વર્ષ 1971નો છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં આપણે વિજયી થયા હતા. ભારતની જીતની ઉજવણી માટે દર વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે મનાવવામાં આવે છે. આ યુદ્ધ દરમિયાન, ભારતીય નૌસેનાએ કરાચી પર હુમલો કર્યો, તે જ નોંધપાત્ર સફળતાને યાદ કરવા નેવી ડેની ઉજવણી કરવામાં આવે છે. આ યુદ્ધને 'ઓપરેશન ટ્રાઇડન્ટ' તરીકે ઓળખવામાં આવે છે.
જાણો 'ઓપરેશન ટ્રાઇડન્ટ' સાથે જોડાયેલી ખાસ વાતો
આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના મુખ્યાલયને નિશાન પર રાખીને શરૂ કરવામાં આવ્યું હતું જે કરાંચીમાં હતું.
હિંદુસ્તાનના આ હુમલામાં 3 વિદ્યુત ક્લાસ મિસાઈલ બોટ, 2 એન્ટી સબમરીન અને એક ટેંકર સામેલ હતું.
કરાંચીમાં રાતના સમયે હુમલો કરવાની યોજના હતી પરંતુ પાકિસ્તાન પાસે રાતના સમયે હુમલો કરી શકે તેવા વિમાનો ન હતા. ભારતીય નૌસેના વિશ્વની પાંચમી સૌથી મોટી નૌસેના ગણવામાં આવે છે.
આવી રીતે થઈ હતી યુદ્ધની શરૂઆત
1971ના યુદ્ધની શરૂઆત 3 ડિસેમ્બરે થઈ હતી, જ્યારે પાકિસ્તાને હવાઈમાર્ગ અને સીમાવર્તી વિસ્તારમાં હુમલો કર્યો હતો. પાકિસ્તાનને જવાબ આપવા નૌસેનાની તરફથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના મુખ્યાલયના નિસાન પર લઈને શરૂ કરવામાં આવ્યું જે કરાંચીમાં હતું. હિંદુસ્તાનની તરફથી કરાયેલા હુમલામાં 3 વિદ્યુત ક્લાસ મિસાઈલ બોટ, 2 એન્ટી સબમરીન અને એક ટેંકર સામેલ હતું. આ યુદ્ધમાં પહેલી વાર જહાજ પર હુમલો કરનારી એન્ટી શિપ મિસાઈલનો ઉપયોગ કરાયો હતો. ભારતે આ ઓપરેશનમાં પાકિસ્તાન પર હુમલો કરીને તેમના સૈન્ય શક્તિને ખતમ કરવાનું શરૂ કર્યું હતું.
ભારતે કરાંચીમાં રાતે હુમલો કરવાની યોજના કરી હતી કેમકે પાકિસ્તાનની પાસે એવા વિમાન ન હતા જે રાતે લડી શકે. આ યુદ્ધમાં ભારતનો કોઈ જવાન શહીદ થયો નહીં. પાકિસ્તાનના 5 નૌસેનિક મૃત્યુ પામ્યા જ્યારે 700થી વધારે ઘાયલ થયા હતા. દર વર્ષે આ જીતના દિવસને 4 ડિસેમ્બરે નૌસેના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.