નૌસેનાના નવા પ્રમુખ તરીકે વાઈસ એડમિરલ કરમબીરસિંહે આજથી ચાર્જ સંભાળ્યો છે. એડમિરલ સુનિલ લાંબા આજે રિટાયર્ડ થઈ રહ્યા છે અને કરમબીરસિંહે નેવી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
કરમબીરસિંહ જાલંધરના રહેવાસી છે. તો સુનિલ લાંબા ત્રણ વર્ષ સુધી નેવી ચીફ રહ્યા. તો નૌસેનાએ સિનિયરને રહેતા જૂનિયર ઓફિસરને પ્રમુખ બનાવ્યા છે. ત્યારે વાઈસ એડમિરલ કરમબીરસિંહથી છ મહિના સિનિયર વાઈસ એડમિરલ વિમલ વર્માએ આ નિર્ણયને પડકાર્યો હતો. જે અંતર્ગત આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યૂનલમાં અપીલ કરી હતી.
જોકે, આ ટ્રિબ્યૂનલે વાઈસ એડમિરલ સિંહને પ્રમુખ બનાવવાને લઈને હરી ઝંડી તો આપી હતી પણ તેઓએ એવું પણ કહ્યું હતુ કે, અંતિમ નિર્ણય વાઈસ એડમિરલ વિમલ વર્માની અરજીના નિર્ણય બાદ જ થશે.