એકવાર ફરી નવસારીના વાંસદાની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. બે દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ઊભો થયો છે.
વાંસદામાં બે દિવસમાં ભૂકંપના બે આંચકા
રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.1 અને 2.8ની તીવ્રતા
ભૂકંપના બે આંચકાથી લોકોમાં ભયનો માહોલ
નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક આંચકો રાત્રિના 9:38 કલાકે આવ્યો હતો. જેમાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા નોંધવામાં આવી હતી. જ્યારે બીજો આંચકો આજે સવારના 6.48 વાગ્યે આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 2.8 ની તીવ્રતા નોંધવામાં આવી હતી.
નવસારી: વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા, રાત્રે 9:38 કલાકે 3.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો તો બીજો આંચકો સવારના 6:48 મિનિટે 2.8 તીવ્રતાનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ#Navsari#earthquake
ભૂકંપના હોલીપાડા અને નાનાપાડા નજીક કેન્દ્રબિંદુ નોંધાયું
રાત્રિના 9:38 કલાકે આવેલા આંચકાનું એપી સેન્ટર વાંસદા નજીક આવેલું હોલીપાડા નોંધાયું છે. જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનાપાડા ગામમાં નોંધાયું છે. આમ, સતત બીજા દિવસે એટલે કે ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના અગાઉ પણ નવસારીના વાંસદામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર 1.9ની તીવ્રતા નોંધાઇ હતી તથા કેન્દ્રબિંદુ નવસારીથી પૂર્વમાં 42 કિમી દૂર નોંધાયું હતું. એકાદ મહિના અગાઉ નવસારીના વાંસદામાં 20 દિવસની અંદર ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. ત્યારે એકવાર ફરી વાંસદા તાલુકામાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
શું તમે જાણો છો કે ભૂકંપ કેમ આવે છે?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
જો ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.