ભોજનમાં મીઠું ભુલાઈ જાય તો આખું ભોજન પાણીમાં જાય. મીઠા વગરનું ભોજન જમવું તે એક દીવા સ્વપ્ન સમાન છે..મીઠુંએ ભોજનનો રાજા છે મીઠું અનેક દર્દની દવામાં પણ ગુણકારી છે. રસોડામાં મીઠુનાં હોય તો આપણે તમામ વસ્તુ ફીક્કી થઈ જાય છે.
અગરિયાઓના હાલ બેહાલ
નથી મળી રહ્યું મહેનતનું ફળ
વેપારીઓ લાખોમાં રમે છે
અગરિયાઓને મળે છે માત્ર 20 પૈસા
પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે, મીઠું કેવી રીતે બંને છે અને મીઠું પકવતા અગરિયાઓને મીઠાના ભાવ કેમ ખારા લાગી રહ્યા છે..? તો આવો નજર કરીએ મીઠું પકવતા અગરિયાઓની મુશ્કેલીનો આ અહેવાલ.
મીઠાનો વ્યવસાય કરતા અગરિયાઓ સોલાર પંપ મારફતે બોરનું પાણી એકત્ર કરીને રણમાં પાળા બનાવીને મીઠાનું ઉત્પાદન કરે છે. ભારે જહેમત બાદ 6 મહિને આ અગરિયાઓ મીઠુ પકવી રહી છે. ભલેને કડકડતી ઠંહી હોય કે શરીરે આગ દઝાડતી ગરમી હોય. આ અગરિયાઓ દિવસ રાત જોયા વગર મહેનત કરે છે. પોતાના પરિવાર સાથે તેઓ જાણે સામાન્ય લોકોથી દૂર રણમાં અલગ દુનિયા વસાવીને રહે છે. આટલો ભોગ આપ્યા બાદ પણ જયારે તેમનું મીઠુ પાકે છે અને બજારમાં મુકવાનો વારો આવે છે.
30 હજારથી વધારે બોરી મીઠાનું ઉત્પાદન કરે
ત્યારે તેનો ભાવ સાંભળીને આ અગરિયાઓના મોઠા કડવા થઈ જાય છે. જે આપણા રસોડાનો સ્વાદ સારો રાખવા દિવસ રાત મહેનત કરે છે તેમને પોતાની મજૂરી સામે સરખા પૈસા મળતા નથી. આ અગરિયાઓ આશરે 30 હજારથી વધારે બોરી મીઠાનું ઉત્પાદન કરે છે પરંતુ સરખો ભાવ ન મળવાના કારણે હાલ તેઓ હતા ત્યાના ત્યા છે. હવે તેઓ આ ઉદ્યોગને છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાનુ વિચારતા હોવાથી આ ઉદ્યોગ પર સંકટ તોળાઈ રહ્યુ છે.
એક કિલો મીઠા પર માત્ર 20 પૈસા કમાય
સાંતલપુરના આ અગરિયાઓ ગરીબ અને અભણ હોવાનો ત્યાના વેપારીઓ સંપૂર્ણ લાભ લઈ રહ્યા છે..આ અગરિયાઓ રાત દિવસ મહેનથ કરીને મીઠુ પકવી રહ્યા છે. પરંતુ તેનો લાભ વેપારીઓ લે છે તેઓ આ ગરીબ અગરિયાઓને ખોટી વાતો કરીને 50 કિલોની એક બોરીના 10 રૂપિયા આપીને પોતે તેને કંપનીનું નામ આપીને ત્રણ ગણી રકમે વેચે છે. રાત દિવસ પરિવારને જોયા વગર આ અગરિયાઓ એક કિલો મીઠા પર માત્ર 20 પૈસા કમાય છે..જયારે તેની ખરીદી કરીને બ્રાન્ડ અને માર્કા લગાવીને વેપારીઓ લાખો રૂપિયાનો નફો રળે છે..આ અગરિયાઓ મીઠુ પકવવા પાણીના પાળામાં મહેનત કરે છે જેથી તેમના હાથ અને પગ જાણે શરીરથી અલગ થઈ ગયા હોય તેમ લાગે છે.. હિંદુ અગરીયાઓને મૃત્યુ પછી તેમના પગ અને હાથને દાટવાની ફરજ પડે છે કારણ કે તે મીઠામાં રહી રહીને એવ થઈ જાય છે કે તે ભસ્મ થતા નથી. આમ પોતાની માનસિક શારીરીક અને પારિવારીક શક્તિ લગાવી દઈને પણ આ અગરિયાઓને માત્ર 20 પૈસા કિલોએ મળે તો તે કેટલુ યોગ્ય. .
મીઠુ મોલમાં અને અન્ય દુકાનોમાં 25 રૂપિયામાં વેચાય
એક બાજુ સરકાર લઘુ ઉદ્યોગોને બેઠા કરવા વિવિધ યોજનાઓ પાછળ કરોડોનું ધોવાણ કરે છે..પરંતુ આ અગરિયાઓની માગ છે કે સરકાર તેમને સરખા ભાવ ભરી આપે..6 6 મહિના રણમાં પરિવારથી દૂર બે પૈસા કમાવવાની આશાએ આ અગરિયાઓ આવે છે પરંતુ તેમના માલિકો તેમના કરતા વધારે પૈસા કમાય છે અને આ અગરિયાઓને કોઈ લાભ થતો નથી..આ જ મીઠુ મોલમાં અને અન્ય દુકાનોમાં 25 રૂપિયામાં વેચાય છે જેના કારણે આ જ અગરિયાઓ સરકારને કહી રહ્યા છે કે અમને અમારી મહેનતનું ફળ આપો. .