લોકડાઉન થવાના કારણે બિનગુજરાતીઓ ગુજરાતમાં અટવાયા છે. ત્યારે સરકાર દ્વારા બિનગુજરાતીઓને વતન મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. વતન પાછા જવા માટે સુરતમાં લોકોની ભીડ હતી. નવસારીના સાંસદ સી.આર.પાટીલે બિનગુજરાતીઓને વતન પરત જવા માટે બસની વ્યવસ્થા કરી છે. જેને લઇને સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો સાંસદ સી.આર.પાટીલના કાર્યાલય આગળ લાઇન લગાવી રહ્યાં હતા. પોલીસકર્મીઓ હોવા છતા લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે સહાય લેવા માટે એકત્ર થયેલા લોકોના નામે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.
સુરતમાં એક જગ્યાએ 4 હજાર લોકો એકત્ર થયા: કપિલ સિબ્બલ
કપિલ સિબ્બલને સુરત આવી વ્યવસ્થા તપાસ માટે આમંત્રણઃ હર્ષ સંઘવી
નવસારીના સાંસદ સી.આર પાટીલના નિવાસસ્થાને એકત્ર ભીડનો મામલે રાજનીતિ થઇ રહી છે. ટ્વીટર પર ભાજપ અને કોંગ્રેસ નેતાઓ આમને-સામને આવ્યા છે. આ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પ્રશ્નો ઉઠાવ્યા છે. સિબ્બલે કહ્યું કે, સુરતમાં એક જગ્યાએ 4 હજાર લોકો એકત્ર થયા. એકત્ર થયેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ.
કપિલ સિબ્બલે આજે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, સુરતમાં 4000 લોકો હતા, 5 કિ.મી. લાંબી લાઇન હતી, 37 ડિગ્રી તાપમાન હતું, 5 કલાક સુધી રાહ જોઈ અને 1500 લોકોને જ અનાજ મળ્યું. બીજા પાછા ગયા! સોશિયલ ડિસ્ટન્સિંગ?
કપિલ સિબ્બલના પ્રહાર પર ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, સુરતમાં તમામ જરૂરિયાતમંદ ભાઈઓ અને બહેનો માટે એ તમામ વ્યવસ્થા છે જે વાયનાડમાં નહીં હોય! હું સુરતનો ધારાસભ્ય હોવાના નાતે તમને આમંત્રિત કરું છું કે આવો અને જાતે જોઈ લો!
सूरत में सभी जरूरतमंद भाइयों और बहनो के लिए वो सब इंतज़ाम है जो Wayanad में भी नहीं होंगे! मैं सूरत का विधायक होने के नाते आपको सादर आमंत्रित करता हूँ कि आइए और खुद देख ले! https://t.co/CLtz0B54Sb
હર્ષ સંઘવીએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું કે, રણનીતિ કરો, રાજનીતિ નહીં, આ સમય દેશને એકજૂટ થવાનો છે, ન કે દેશ માટે જે લોકો કામ કરી રહ્યા છે તેને નીચા બતાવવાનો, કંઇક તો શરમ કરો.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી પરપ્રાંતિય લોકો સાંસદ સી.આર.પાટીલના કાર્યાલય આગળ લાઇન લગાવી રહ્યાં હતા.