નવસારીમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયુ છે. દશેરા ટેકરી વિસ્તારમાંથી પસાર થતી પાણી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીને વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોનું માનીએ તો છેલ્લા 5 દિવસથી પાઈપલાઈન લીકેજ થઈ રહી છે. જોકે તંત્ર ધોર નિંદ્રામાં છે. એક તરફ પાણીની અછત સર્જાઈ રહી છે. તો બીજી તરફ વારંવાર પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે તંત્રની આંખો કયારે ખુલે છે તે મોટો પ્રશ્ન છે.