કહેવાય છે કે એક જમાનામાં નવસારી જિલ્લાની ગાયકવાડ મિલનો ડંકો વાગતો હતો અને આ મિલમાં જ આ ધરણા કરનારા દલિતો કામ કરતાં હતાં. મિલ માલિક તો આ ગરીબ દલિતોની મહેનતથી માલદાર બની ગયો પણ આ લોકો ગરીબ જ રહી ગયા. સમયનાં વહેણ બદલાતાં દબદબો ધરાવતી ગાયકવાડ મિલ બંધ પડી. મિલનાં આ મામૂલી કામદારો રસ્તા પર આવી ગયા.
ગરજ સરી અને વૈદ્ય વેરી જેવો ઘાટ નવસારીનાં બિલિમોરાનાં દલિતોનો થયો છે. 80 વર્ષથી ગાયકવાડ મીલની માલિકીમાં રહેતા દલિત કામદારો મિલ બંધ થતા માલિકોએ પોતાનું પોત પ્રકાશ્યું છે અને સરકારનાં વિકાસ પર ખાનગી માલિકોએ રોક લગાવતા 400 પરિવારો પ્રાથમિક સુવિધાથી દૂર રહ્યાં છે. જેના માટે બીલીમોરા પાલિકા મથામણ કરી રહી છે તો દલિતો ન્યાય માટે ધરણા પર બેસી ગયા છે.
કહેવાય છે કે એક જમાનામાં નવસારી જિલ્લાની ગાયકવાડ મિલનો ડંકો વાગતો હતો અને આ મિલમાં જ આ ધરણા કરનારા દલિતો કામ કરતાં હતાં. મિલ માલિક તો આ ગરીબ દલિતોની મહેનતથી માલદાર બની ગયો પણ આ લોકો ગરીબ જ રહી ગયા. સમયનાં વહેણ બદલાતાં દબદબો ધરાવતી ગાયકવાડ મિલ બંધ પડી. મિલનાં આ મામૂલી કામદારો રસ્તા પર આવી ગયા.
મિલમાલિકો તેની અસલી ઔકાત પર આવી ગયા. જેમ ફિલ્મોમાં જોવા મળે તેમ આ ગાયકવાડી મિલનાં માલિકે પણ પોતાના કામદારો જ્યાં રહેતાં હતાં તેનો વિકાસ રૂંધી નાખવાનું નક્કી કરી નાખ્યું. મિલ માલિકોએ બીલીમોરા પાલિકાને પ્રાથમિક સુવિધા ઉભી કરવાની સંમતિ ન આપી. 80 વર્ષથી જ્યાં દલિતો રહેતાં હતાં તે વિસ્તારને મિલમાલિકો હડપવાના પેંતરા કરવા લાગ્યાં અને સરવાળે પ્રાથમિક સુવિધાથી દલિતોને વંચિત રાખવાનું શરૂ થયું. ત્યારે આ વંચિતોએ શરૂ કર્યુ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન.
બીલીમોરા પાલિકામાં ભાજપની સત્તા સામે ભાજપનાં દલિત નગરસેવકો બીલીમોરા પટાંગણમાં પોતાનાં સમાજને લઈને ધરણાંઓ પર બેઠા છે ત્યારે મિલ માલિકોનું પેટનું પાણી પણ હાલ્યું નથી જેનાં કારણે પાલિકા દુવિધામાં મૂકાય છે અને ગાંધીનગરનાં ચક્કરો લગાવી રહી છે. બીલીમોરા પાલિકામાં પણ મુખ્યમંત્રી કાર્યાલયેથી યોગ્ય ઘટતું કરવા માટે પત્ર આવતા પાલિકા વધુ કામ કરવાનો ઉત્સાહ તો બતાવી રહી છે પરંતુ સ્પેશિયલ પાવર રાજ્ય સરકાર તરફથી મળે તેની રાહ જોઈ રહી છે.
આઝાદીનાં આટ આટલા વર્ષે પણ દલિત સમાજને પ્રાથમિક સુવિધા માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડે એ ક્યાંક ને કયાંક સરકારની નિષ્ક્રીયતાઓ પણ છતી કરી રહી છે. જો કે વિકાસની વાત માટે જાણીતી ગુજરાત સરકાર બીલીમોરાનાં દલિતોનો પાયાનાં પ્રશ્ને કેમ ઉદાસિનતા દાખવી રહ્યું છે. સરકાર આવા ખાનગી માલિકો પર લાલ આંખ કરવા માટે કોઈ મૂહુર્તની રાહ જોઈ રહી છે.