નવસારી સિવિલમાં કોરોના વોરિયર્સે ઉપરીઓના દબાણ અને સાસારિયાઓના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ થઈ છે. નવસારીની મેઘાએ મરતા પહેલા પાંચ પાનાની સુસાઈડ નોટ લખી હતી જેમાં ઘણા મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.
અવિનાશ દુબે,તારા ગાવીત,વનીતા પટેલ સામે નોંધાવી ફરિયાદ
નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં નર્સની આત્મહત્યાના મામલે નર્સ મેઘાની માતાએ સિવિલ હોસ્ટિલના ડોક્ટર સામે જાતિય સતામણીની ફરિયાદ નોંઘાવી છે. હોસ્પિટના અવિનાશ દુબે,તારા ગાવીત,વનીતા પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. નર્સની માતાએ સાસરિયા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. નોંધનિય છે કે, નવસારી સિવિલિ હોસ્પિટલની નર્સ મેઘાએ ગત મંગળવારે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીઘી હતી.
ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ એક બાદ એક ખુલાસાઓ
વિજલપોર ખાતે રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ-નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ એક બાદ એક ખુલાસાઓ થઇ રહ્યાં છે. આ કેસમાં હવે મૃતક યુવતીની માતાની ફરિયાદ બાદ પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણા, જાતિય સતામણી સહિતનો ગુનો દાખલ કરી હૉસ્પિટલનાં ઇન્ચાર્જ સિવિલ સર્જન, બે હેડ નર્સ અને સાસરિયા સહિત 5 સામે ફરિયાદ નોંધી વિજલપોર પોલીસે તપાસ હાથ ધરી છે.
પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી
મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મેઘા દ્વારા લખાયેલા અંતિમ શબ્દો મુજબ સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેને ભારે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. તેમના કારણે જ આત્મહત્યા કરી રહી છું તેવો મેઘાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. આ સ્ટાફ નર્સ વધુ ઉંમરના સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હોવાની વાત તેણીએ તેના ડેથ ડેક્લેરેશનમાં લખી હતી. જેથી આ બાબતોના કારણે કંટાળી જઈ આત્મહત્યા કરી રહી હોવાની વાત સાફ શબ્દોમાં સ્યુસાઈડ નોટમાં ટાંકી હતી. આ ઉપરાંત મારા સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર રાખશો નહીં તેવું પણ જણાવ્યું હોવાની વાત સામે આવી છે.