ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે એવામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ખોટી ખોટી ચર્ચાઓમાં સમય વિતાવી રહ્યા છે. ચીખલી-વલસાડના સંયુક્ત ભાજપ ગૃપમાં ગાંધીજીને લઈને અણછાજતી ટીપ્પણીઓ બહાર આવી છે. આ કારણે વિવાદનો મધપૂડો છેડાઈ ગયો છે. ગાંધીજી કરતા નથ્થુરામ ગોડસેને સારા ગણાવતા આ નેતાઓ પ્રજાના પ્રતિનિધિ છે તે ભાન કદાચ ભુલી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે.
ગાંધીજીનો વીડિયો મુક્યા બાદ રાષ્ટ્રપિતાના પદ મુદ્દે કર્યા સવાલો
નવસારીમાં ચીખલી-વલસાડના સંયુક્ત ભાજપ ગૃપના સભ્યોનું કારસ્તાન સામે આવ્યું છે. ગૃપમાં મહાત્મા ગાંધીજીને લઇને અભદ્ર ટીપ્પણીઓ કરવામાં આવી છે.
ગાંધીજીનો વીડિયો મુક્યા બાદ રાષ્ટ્રપિતાના પદ મુદ્દે સવાલો કર્યા છે. તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યએ મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા ગણાવ્યા છે. તો નથુરામ ગોડશે માટે ઝિંદાબાદના શબ્દો લખાયા છે. ભાજપના ગૃપમાં સમગ્ર ચેટ થઇ વાયરલ થઇ રહી છે. તો ગૃપમાં ભાજપના નેતાઓ મૌન રહ્યાં હતા.