નવસારીના વાંસદામાં આદિવાસી સમુદાય દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસની આગેવાનીમાં આદિવાસી સમુદાય દ્વારા આ જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતમાલા પ્રોજેક્ટ બંધ રાખવાની બાંહેધારી આપવા મામલે મામલતદારને રજૂઆત કરાશે.
એટલું જ નહીં દારૂના વેચાણ સહિતના પ્રશ્નોને લઈને પણ રજૂઆત કરાશે. એક હજારથી પણ વધુ લોકો રેલીમાં જોડાશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ રેલીમાં જોડાશે. તો આ રેલી બાદ વાંસદા મામલતદારને આવેદનપત્ર પણ આપીને રજૂઆત કરાશે. આદિવાસી સમુદાય દ્વારા પોતાની માંગને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતની હારમાળાઓ બનાવતો એક્સપ્રેસ હાઇવે આદિવાસી વિસ્તારની જમીનની છાતીઓ ચીરીને પસાર થવાની કામગીરીઓ શરૂ થઇ હતી. સુરતથી લઈને નાસિક અને અમદાવાદને જોડાતાઓ એક્સપ્રેસ હાઇવે ભારતમાલા પ્રોજેક્ટની કામગીરીઓ શરુ થઇ ગઈ છે. જેના માટે પીળા કલરના ખૂંટાઓ પણ લગાવી દેવામાં આવ્યા છે.
જેમાં નવસારી જિલ્લાના ૬૧ ગામોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદન થવાની છે. ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા ચીખલી અને વાંસદા તાલુકાના ૨૩ ગામોના આદિવાસીઓની જીવાદોરી સમાન અને પેટિયું રડી આપતી જમીન જવાને લઈને આદિવાસીઓ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધવી રહ્યા છે.
જેમાં કોંગ્રસમાંથી ચૂંટાયેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ૧૦ હજાર જેટલા આદિવાસી પરુષ અને મહિલાઓ આક્રમક મૂડમાં આવીને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી ભારત માલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ જોતા ડાંગ જિલ્લાનું મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ભારતમાલા પ્રોજેક્ટને હાલ પુરતો મોકૂફ રાખવાની જાહેરાત કેવામાં આવી હતી.