ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાને લઇને કેટલીક છૂટછાટને લઇને આયોજન કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના તાડ ફળિયા ગરબા મહોત્સવ દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં સૌથી મોટા શેરી ગરબા નહીં યોજાય
તાડ ફળિયા ગરબા મહોત્સવ દ્વારા નહીં યોજાય ગરબા
મંજૂરી મળે તો પણ નહીં યોજાય શેરી ગરબા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરાના સૌથી મોટા શેરી ગરબા કોરોના મહામારીને કારણે યોજાશે નહીં. શહેરના તાડ ફળિયા ગરબા મહોત્સવ દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરાના તાડ ફળિયા ગરબા મહોત્સવ દ્વારા કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ગરબા નહી યોજવાનો આયોજકોએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં તાડ ફળિયામાં મોટા પાયે શેરી ગરબા યોજાય છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે નવરાત્રીના ગરબાને લઇને સરકાર તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકાર 200 લોકોની મંજૂરી સાથે ગરબાના આયોજન અંગે વિચારણ કરી રહી છે. જો કે તબીબો દ્વારા જણાવામાં આવ્યું હતું કે 200 લોકો સાથે ગરબા યોજાશે તો પણ કોરોના સંક્રમણ વધવાનો ભય છે.