આજથી એટલે કે 17 ઓક્ટોબર અને શનિવારથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ 9 દિવસની નવરાત્રિમાં માતા નવદુર્ગાની ઉપાસનાનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ સમય દરમિયાન નવદુર્ગાની પૂજા એટલે કે મા દુર્ગાની સાથે સાથે તેમના નવ રૂપોની આરાધના કરવાથી જાતકના જીવનની દરેક સમસ્યા આપમેળે જ દૂર થઈ જાય છે. પરંતુ જો તમે તમારી મુશ્કેલી અનુસાર કેસરી સિંદૂરનો આ ખાસ પ્રયોગ કરી લેશો તો તમે તમારું નસીબ ચમકાવી શકશો.
નવરાત્રિમાં કરી લો આ 1 ખાસ ઉપાય
કેસરી સિંદૂરનો આ ઉપયોગ આપશે શુભાશુભ ફળ
માતાજીને પ્રસન્ન કરવાની સાથે ચમકાવશે તમારું નસીબ
મા દુર્ગાની પૂજામાં સિંદૂરનું છે ખાસ મહત્વ
જ્યોતિષ મુજબ તેમની પૂજામાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે મા દુર્ગાની પૂજામાં સિંદુરનું સૌથી વધુ મહત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંદૂરના આ પ્રયોગ પાછળનું સાચું અને યોગ્ય કારણ એ છે કે તેનાથી માતા વધુ પ્રસન્ન થાય છે. આ જ કારણ છે કે નવરાત્રિના નવ દિવસમાં મોટાભાગના ઘરમાં લોકો સિંદૂરનો પ્રયોગ કરીને માતા દુર્ગાને પ્રસન્ન કરે છે. અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે, આપે લાલ નહીં પણ કેસરી રંગનાં સિંદૂરનો ઉપયોગ કરવાનો રહેશે.
જાણો કેસરી સિંદૂરનો કઈ મુશ્કેલીમાં કેવી રીતે કરશો પ્રયોગ
ખૂબ ઓછા લોકો હશે જે આ અંગે માહિતી રાખે છે, કેમ નવરાત્રિમાં કેસરી સિંદૂરનો પ્રયોગ કરવામાં આવે છે ? સાથે જ તેનો પ્રયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનો શું લાભ થાય છે ચાલો જાણીએ તે અંગે.
જ્યોતિષ મુજબ જો કોઈ વ્યક્તિ દેવામાં ડુબેલો હોય તો તેણે પીપળાના પાનમાં ચમેલીનું તેલ અને કેસરી સિંદૂર મિક્સ કરીને પાનનાં ચિકણા ભાગ પર સિંદૂરથી રામ લખીને તેને હનુમાનજીના ચરણોમાં ચઢાવવું. થોડા સમયમાં જ દેવામાંથી મુક્તિ મળશે.
જે લોકોના વૈવાહિક જીવનમાં કોઈ પ્રકારની મુશ્કેલીઓ આવી હોય તો નવરાત્રિમાં કોઈપણ દિવસે એક પાનનું પત્તુ લઈને તેના ચિકણા ભાગ પર સિંદૂરથી જ હ્રીં લખીને મા દુર્ગાને અર્પણ કરવું. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે.
આ ઉપરાંત જો કોઈની ગ્રહ દશા ખરાબ હોય તો તેણે મંગળવારના દિવસે કેસરી સિંદૂરમાં ચમેલીનું તેલ મિક્સ કરીને હનુમાનજીના ચરણોમાં લગાવો. પછી કેસરી રંગનાં સિદૂરને દાન કરવું.
નવરાત્રિનાં સમયમાં કોઇને પણ સિંદૂર આપવું નહીં. કહેવાય છે કે, આ સમયે અન્ય વ્યક્તિને સિંદૂર આપવાથી આપનાર વ્યક્તિનું નસીબ પણ એ સિંદૂર સાથે જતું રહે છે.