નવરાત્રી એટલે મારા ગમતા તહેવાર પૈકીનો એક ખાસ તહેવારનવરાત્રી આવે અને બાળપણનું ફ્લેશબેક શરુ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખોબા જેવડા ગામમાં રોજ સાંજે ઘોઘો(હવે તેનું સ્થાન અગરબત્તીએ લીધું છે) લઈને ખાળીયાથી શરુ કરીને છે કે છેક દરવાજા બહાર આવેલ ઘર સુધી જતા અને ઢગલો એક ચોકલેટ અને બિસ્કિટ ઘોઘામાં મેળવતા અને ખુબ ખુશ થતા. "ઘોઘા-ઘોઘા ઘોસલામનાથા ભાઈના વીસલામપરે પટોળીયો ઓઢી જાયગોદડિયાની ગોળી વાગી જાય ગોદડિયો નાઠોતાવડીમાં ટેટો જીવે તમારો બેટો " બોલીને આખું ઘર ગજાવી મુકતાએમાં પણ સાથે નાની કે મોટી બહેન હોય તો તો ભાઈ-ભાઈ મજા આવી જાય "જીણી-જીણી રેતૂડીજીણા ટપકા પૂરાવજોએવા અમારા બાબા ભાઈ ને સાત રાની પરણાવજો" જેવી પંક્તિઓ ચોતરફ ગુંજી ઉઠતી. નવમા દિવસે બધી ચોકલેટમાંથી સારી સારી ચોકલેટ લઈને બીજી ભાઈબંધ ને આપી દેવાની પણ એક મજા હતી.
આજે સમય ઘણો બદલાઈ ગયો છે તેવું કહેનારા ડગલે ને પગલે મળે પરંતુ એ કહેનારાઓ હવે પોતાની સાહ્યબી અને સંપત્તિના કારણે પોતાના બાળકને "ઘોઘો પીપર માંગવા " જતા અટકાવે છે. હકીકત છે કે યુગ બદલાયો છેવિચારધારા બદલાઈ છેગામડું હવે ભૂંસાતું જાય છે અને ઠેક આભે અંબાઈ તેવા બિલ્ડીંગો વધ્યા છે આ તમામ બાબતો વચ્ચે ચોક્કસ એવી અનુભૂતિ થાય કે બાળપણ રૂંધાતુ જાય છે. જીવનમાં એકલું 2+2=4 થાય તેટલું જ શીખવું અગત્યનું નથી 2+2= કરવા હોય તેટલા કરી શકાય(બધા વિષયમાં નિષ્ણાત હોવું) તેવી આવડત પણ જરૂરી છે.
નવરાત્રીના દિવસો બસ થોડા દિવસમાં ચાલ્યા જશે ત્યારે દરેક માં-બાપને એક વાત અચૂક કહેવાનું મન થાય કે ભલે આજ સાહ્યબી હોય અઢળક મિલ્કત હોય પણ એકવાર તમારા બાળકને તમે જેવું બાળપણ ભોગવ્યું છે તે ભોગવવા દેજો. બાકી 3 ઈડિયટ્સના ચતુર કરતા રણછોડદાસ ચાંચડ ઉર્ફે રેન્ચો જ આગળ વધતો હોય છે.