હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. આ વખતે આ 26 સપ્ટેમ્બરથી લઇને 5 ઓક્ટોબર સુધી મનાવવામાં આવશે.
ક્યારથી શરૂ થશે શારદીય નવરાત્રિ
નવરાત્રિમાં માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ
જાણો કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત
શારદીય નવરાત્રિ દેવી શક્તિ માં દુર્ગાને સમર્પિત
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિનુ પર્વ દેવી શક્તિ માં દુર્ગાને સમર્પિત હોય છે. આ દરમ્યાન માઈભક્તો નવ દિવસ સુધી વ્રત રાખે છે અને અલગ-અલગ દિવસે માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શારદીય નવરાત્રિનુ વ્રત રાખીને અને વિધિપૂર્વક માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ક્યારે છે શારદીય નવરાત્રિ?
પંચાગ મુજબ, શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી લઇને નોમ સુધી મનાવવામાં આવે છે. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ઘરમાં કળશ સ્થાપના કરવામાં આવે છે તથા ઘણા માઈભક્તો આ નવ દિવસ દરમ્યાન દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરે છે. આ વર્ષે નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી લઇને 5 ઓક્ટોબર સુધી મનાવવામાં આવશે.
26 સપ્ટેમ્બર 2022, સોમવાર
નવરાત્રિ પ્રથમ દિવસ: પહેલુ નોરતુ, માં શૈલપુત્રી પૂજા અને ઘટસ્થાપના
27 સપ્ટેમ્બર 2022, મંગળવાર
નવરાત્રિ બીજો દિવસ: બીજુ નોરતુ, માં બહ્મચારિણી પૂજા
28 સપ્ટેમ્બર 2022, બુધવાર
નવરાત્રિ ત્રીજો દિવસ: ત્રીજુ નોરતુ, માં ચંદ્રઘંટા પૂજા
29 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
નવરાત્રિ ચોથો દિવસ: ચોથુ નોરતુ, માં કુષ્માણ્ડા પૂજા
30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
નવરાત્રિ પાંચમો દિવસ: પાંચમુ નોરતુ, માં સ્કંદમાતા પૂજા
1 ઓક્ટોબર 2022, શનિવાર
નવરાત્રિ છઠ્ઠો દિવસ: છઠ્ઠુ નોરતુ, માં કાત્યાયની પૂજા
2 ઓક્ટોબર 2022, રવિવાર
નવરાત્રિ સાતમો દિવસ: સાતમુ નોરતુ, માં કાલરાત્રિ પૂજા
3 ઓક્ટોબર 2022, સોમવાર
નવરાત્રિ આઠમો દિવસ: આઠમુ નોરતુ, માં મહાગૌપૂજા, દુર્ગા મહાષ્ટમી