નર્મદાઃ નવરાત્રીમાં માં શક્તિની આરાધનાનું પર્વ આ નવરાત્રીમાં દરેક ભક્તો માંની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા પૌરાણિકમાં હરસિદ્ધી માતાના મંદિરે પણ ભક્તો અનોખીરીતે માંની પૂજા અર્ચના કરે છે. 418 વર્ષ પુરાનું આ મંદિર રાજપૂતોની કુળદેવી મનાય છે. એક લોકવાયકા પ્રમાણે તે સમયના રાજવી વેરીસાલ સાથેમાં હરસિદ્ધી ઉજ્જૈનથી રાજપીપળા આવ્યા હતા. તેને કારણે જ રાજપૂતોમાં આ માં હરસિદ્ધી અપાર શ્રદ્ધા છે. ત્યારે અહીં છેલ્લા 5 વર્ષથી આસો સુદ છઠએ તલવારબાઝી કરી માતાની આરતી થાય છે. શ્રદ્ધા સાથે શૌર્ય પ્રદર્શન કરે છે.
તલવાર આરતી.......
રાજપૂતોની કુળદેવી ગણાતા હરસિધ્ધિ માંની આરતી અનોખીરીતે તલવારબાઝીથી થાય તે માટે 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકી સાથે આરતીની ધૂનમાં તલવારબાઝી કરી હતી. ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું. સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 122 જેટલા યુવાનોએ સતત તલવાર બાઝી કરી માંની અનોખી આરાધના કરી હતી.
સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તલવાર...
જોકે તલવારએ રાજપૂતોનું શસ્ત્ર ગણાય છે. પરંતુ આ શસ્ત્રને સમય આવે ક્ષત્રાણી પણ ચલાવી શકે તે હતુથી અને સાથે જ આ શસ્ત્ર ચલાવી શકશે તેવી માતાની અનોખી શ્રદ્ધા સાથે આજે તલવાર આરતી કરી હતી. જોકે આ વર્ષે આ તલવાર મહાઆરતીની વિશેષતા એ હતી કે માત્ર નર્મદા જ નહીં પણ પાડોશી જિલ્લાના રાજપૂત યુવાનોએ પણ આ આરતીમાં ભાગ લીધો હતો. છેલ્લા 4 મહિનાથી આ આરતી માટે મહાવરો કરી તલવારબાઝી શીખે છે.
તલવાર દિવસે અને દિવસે લુપ્ત પણ થતી જાય છે...
ખાસ કરીને તલવારએ ક્ષત્રિયોની નિશાની ગણાય છે. જે નિશાની દિવસે અને દિવસે લુપ્ત પણ થતી જાય છે. ત્યારે લુપ્ત થતી આ તલવાબાઝી માંની આરાધના સમી આરતીમાં કરીને આ શસ્ત્ર ચલાવતા પણ શિખાય અને લુપ્ત થઇ રહેલ આ શસ્ત્ર વિષે આજના બાળકોમાં પણ સમજ પણ આવે તે માટે આ યુવાનો છેલ્લા 4 મહિનાથી દરરોજ પ્રેક્ટીસ કરતા હતા. હવે તો આ યુવક આ આરતી કર્યા બાદ સમગ્ર હિંદુ સમાજમાં એકતા સ્થપાય અને ભાઈચારો વધે તેવી માં હરસિદ્ધીને પ્રાથર્ના કરે છે. ત્યારે ચાલુ વર્ષે રાજપૂતો દ્વારા ખાસમાં હરસિદ્ધીનો રથ બનાવી રાજવી મહેલ રાજવંત પરથી આઠ ફૂટની તલવારની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. માં શક્તિનું પ્રતીક એવી તલવારને માં હરસિધ્ધિને અર્પણ કરવામાં આવી હતી.