ગુજરાતમાં નવરાત્રી યોજવાને લઇને હાલમાં અસમંજસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જો કે હજુ સુધી નવરાત્રિ યોજવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે નવરાત્રી યોજવાની મંજૂરી આપવામાં ન આવે તેવું જણાવ્યું છે.
નવરાત્રી અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું નિવેદન
નવરાત્રીની મંજૂરી આપવામાં ન આવે
સરકાર બધા આગેવાનો સાથે વાત કરી રહી છે
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં નવરાત્રી યોજવાને લઇને અસમંજસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે નવરાત્રી અંગે ભાજપ પ્રમુખે મહત્વનું નિવેદન આપ્યું છે.
ભાજપ પ્રમુખ આર. સી. પાટીલે નવરાત્રી અંગે નિવેદન આપતા કહ્યું કે સરકારે નવરાત્રીની મંજૂરી આપવી જોઇએ નહીં. જો કે કોરોનાકાળમાં રાજ્યનો પ્રવાસ ખેડી કાર્યકારો સાથે ગરબે ઘૂમ્યા બાદ પાટીલને બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું દેખાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યની અંદર ગરબા આયોજકો અને સરકાર વચ્ચે આ અંગે ચર્ચા ચાલી રહી છે. સરકાર દ્વારા ગરબા આયોજકોને પણ રજૂઆત કરી છે.