જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો નવરાત્રીમાં ઉપવાસ રાખીને પણ વજન ઘટાડી શકો છો. આ દરમિયાન તમારે કેલેરીથી બચવું જોઇએ. વધારે તળેલું કે ગળ્યું ખાવાથી ઉપવાસ દમરિયાન વજન વધે છે. એટલે કે જો થોડી સમજણ સાથે ઉપવાસમાં ખાવાનું ખાવામાં આવે તો વજન ઘટશે સાથે જ તંદુરસ્તી પણ જળવાઇ રહેશે. વ્રતમાં કઇ રીતે ફાળાહાર કરવો તેની માહિતી હોવી જરૂરી છે.
વ્રતમાં શેકેલા બાફેલા અને ઓછા ઘીમાં બનાવેલા ફરાળ ખાવાથી વજન ઘટશે. સિંધાળું મીઠું પણ વજન ઘટાડવામાં મદદ કરશે અને સામાન્ય રીતે ઉપવાસમાં સિંધાળું મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટની સાથે ફાઇબરનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો વજન ઘટી શકે છે. આગળ વાંચો નવ દિવસના ડાયટ પ્લાનને ફૉલો કરીને વજન ઘટાડી શકો છો.
નવરાત્રીનો પહેલો દિવસ:
બ્રેકફાસ્ટ: રાજગરાના લોટના ચિલ્લા દૂધ કે દહીં સાથે એક સફરજન
લંચ: શેકેલા પનીર સાથે કાકડી અને શક્કરિયાનું સલાડ અને એક સફરજન
ડિનર: મોરિયો દહીં અને બાફેલા બટાકા અથવા કોળાંનું શાક