શું તમે જાણો છો કે નવરાત્રિના વ્રતમાં સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? 2 એપ્રિલથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે.
નવરાત્રીમાં સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કેમ થાય છે?
તેના પાછળનું કારણ જાણવું છે ખૂબ જ જરૂરી
સિંધાલૂણ મીઠાથી મળે છે ગજબના ફાયદા
શું તમે જાણો છો કે નવરાત્રીના ઉપવાસમાં શા માટે સિંધાલૂણનો ઉપયોગ કરવામાં આવે છે? હકીકતે 2 એપ્રિલથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમે જોયું જ હશે કે વ્રત દરમિયાન બધા ભક્તો ફલાહાર કરે છે અને ભોજનમાં સિંધાલૂણનો ઉપયોગ કરે છે. એવું માનવામાં આવે છે કે સિંધાલૂણ ખૂબ જ શુદ્ધ છે. આ સિવાય આ મીઠું બનાવતી વખતે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર કરવામાં નથી આવતું. આ જ કારણ છે કે ઉપવાસમાં સિંધાલૂણનો ઉપયોગ કરવામાં આવે છે.
પંચનક્રિયાને સ્વસ્થ બનાવવામાં સિંધાલૂણ ફાયદાકારક
પાચનતંત્રને સ્વસ્થ બનાવવા માટે પણ સિંધાલૂણનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને ઉલ્ટી કે ઉબકા આવવાની ફરિયાદ હોય તો લીંબુના રસમાં સિંધાલૂણ મિક્સ કરીને પીવું જોઈએ. આનાથી તમને તાત્કાલિક લાભ મળશે.
આંખો માટે ફાયદાકારક
આ સિવાય સિંધાલૂણ પણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આંખની રોશની ઓછી થવાથી બચાવવા માટે પણ સિંધાલૂણ ઉપયોગી છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે
જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો, તો સિંધાલૂણ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સિંધાલૂણની અંદર કેલ્શિયમ અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં જે લોકો ઝડપથી થાકી જાય છે તેઓ સિંધાલૂણનું સેવન કરીને બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરી શકે છે.