નવરાત્રિના ઉપવાસ દરમિયાન દિવસભર એનર્જેટિક રહેવા માટે તમે સાબુદાણાની ખીચડીને ડાયેટમાં સામેલ કરી શકો છો. તે સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદાઓ આપવાનું પણ કામ કરે છે. આવો જાણીએ સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા.
નવરાત્રિના ઉપવાસમાં ખાઓ સાબુદાણાની ખિચડી
દિવસભર રહેશો એનર્જેટિક
સાબુદાણાની ખિચડીના બીજા પણ છે ઘણા ફાયદા
આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ દરમિયાન એનર્જેટિક રહેવા માટે તમે સાબુદાણાની ખિચડીને ડાયેટમાં સામેલ કરી શકો છો. તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. સ્વાદિષ્ટ હોવાની સાથે સાબુદાણાની ખિચડી ખૂબ જ હેલ્ધી પણ છે. આવો જાણીએ સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા.
સાબુદાણામાં હોય છે આ પોષકતત્વો
સાબુદાણામાં આયર્ન, કોપર, વિટામિન બી6 અને કોપર ભરપૂર માત્રામાં હોય છે. તમે સાબુદાણામાંથી બનાવેલ પકોડા અને ખીરનું પણ સેવન કરી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે. આવો જાણીએ તેને ડાયટમાં સામેલ કરવાના ફાયદા.
બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં
સાબુદાણાની ખિચડીમાં પોટેશિયમ હોય છે. તે બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે તે સ્નાયુઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
હાડકા કરે છે મજબૂત
સાબુદાણાની ખીચડીમાં કેલ્શિયમ હોય છે. તેમાં આયર્ન અને વિટામિન K પણ ભરપૂર માત્રામાં હોય છે. તે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તે હાડકાં સંબંધિત સમસ્યાઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
ઝડપથી ઘટે છે વજન
સાબુદાણા ખીચડીમાં કેલરી ઘણી ઓછી હોય છે. તેનું સેવન ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તમારા વજન ઘટાડવાની ડાયેટમાં સાબુદાણાની ખીચડીનો સમાવેશ કરી શકો છો.