શક્તિની આરાધનાનુ પર્વ નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. જેેની શરૂઆત કળશ સ્થાપનાથી કરવામાં આવે છે. આજે અમે તમને તેના શુભ મુહૂર્ત અને મહત્વ અંગે જણાવીશુ.
26 સપ્ટેમ્બરથી શરુ થાય છે નવરાત્રિ
જાણો ક્યારે કરશો કળશની સ્થાપના?
આસ્થા-શ્રદ્ધા સાથે પૂજા કરવાથી માં નવદુર્ગા થાય છે પ્રસન્ન
કળશ સ્થાપના કયા સમયે કરવી જોઈએ?
મહાશક્તિના પર્વ શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઇ રહ્યાં છે. જેના માટે બધા લોકોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. આ તૈયારીઓનો પહેલો ભાગ છે કળશ એટલેકે ઘટની સ્થાપના. કહેવાય છે સારા મુરતમાં કળશની સ્થાપના કરવામાં આવે અને સાચા મનથી પૂરી આસ્થા-શ્રદ્ધાની સાથે માંની આરાધના કરવામાં આવે તો તે પોતાના ભક્તો પર અવશ્ય પ્રસન્ન થાય છે. આવો સૌથી પહેલા જાણીએ કે ઘટની સ્થાપના કઈ તારીખે કયા સમયે કરવી જોઈએ.
નવરાત્રિમાં કળશ સ્થાપના
દિવસ- અશ્વિન માસ શુક્લ પક્ષ પ્રતિપદા 26 સપ્ટેમ્બર 2022
કળશ સ્થાપના મૂરત- સવારે 6:11 થી 7:51 વાગ્યા સુધી
કુલ સમયગાળો- 1 કલાક 40 મિનિટ
કળશ સ્થાપના અભિજીત મુહૂર્ત- સવારે 11:48 થી 12:36 સુધી
કુલ સમયગાળો- 48 મિનિટ
કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધ મન્દાકિની છે દુર્ગા સપ્તશતી
નવરાત્રિ એટલેકે શક્તિની ઉપાસના, માં દુર્ગાની આરાધના કરી તમે તમારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રને શક્તિશાળી બનાવવાની પ્રાર્થના કરી શકો છો. આ સમયે શક્તિ ભરવાનુ માનવામાં આવ્યું છે. આ લેખમાં અમે દુર્ગા સપ્તશતી ગ્રંથથી કવચ એટલેકે વ્યક્તિની સુરક્ષાના વિષય પર ચર્ચા કરીશુ. દુર્ગા સપ્તશતીમાં ભગવતીની કૃપાની સાથે તેના ઘેરા રહસ્યો પણ છે. આ ગ્રંથ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધી મન્દાકિની છે. ભગવતીની ઉપાસનાથી દરેક માઈભક્તોને મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને માઈભક્તો મોક્ષ મેળવીને કૃતાર્થ થાય છે.
ભગવતીના સ્વરૂપ અને શરીરની સુરક્ષા
ભગવતીના અલગ-અલગ સ્વરૂપ તમારા શરીરના અલગ-અલગ અંગોની રક્ષા કરે છે. માર્કણ્ડેય ઋષિએ બ્રહ્માજીને સંસારમાં મનુષ્યોની સુરક્ષા અંગે પૂછ્યુ તો બ્રહ્માજીએ કહ્યું કે દેવીનુ કવચ સંપૂર્ણ પ્રાણીઓ પર ઉપકાર કરનારું હોય છે. દેવીના નવ સ્વરૂપોના અલગ-અલગ નામ જણાવવામાં આવ્યાં છે. તેથી નવરાત્રિને નવદુર્ગા પણ કહેવામાં આવે છે.