સનાતમ ધર્મમાં માતા દુર્ગાની આરાધનાનો તહેવાર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ નવ દિવસો દરમિયાન તેમના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો વિવિધ પ્રયાસો કરે છે.
માતા દુર્ગાની આરાધનાનો તહેવાર છે નવરાત્રી
નવરાત્રીમાં માતાની પૂજા માટે વાવો જવારા
જાણો જવારા વાવવાનું મહત્વ
નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં નવરાત્રીના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભક્તો તેમના ઘરોમાં અને મોટા પંડાલોમાં દેવી દુર્ગાની મૂર્તિઓની સ્થાપના કરે છે. આ સાથે જ નવરાત્રિ દરમિયાન લોકો જવેર વાવે છે. તેમના વિના માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે.
નવરાત્રિના પહેલા દિવસથી જવનું વાવેતર કરવામાં આવે છે. નવરાત્રિમાં જવ વાવવા પાછળની માન્યતા એવી છે કે પૃથ્વીની ઉત્પત્તિ પછી સૌથી પહેલો પાક જવનો હતો. નવરાત્રિની પૂજાના 9 દિવસ પછી તેને નદી અથવા તળાવમાં વસર્જીત કરવામાં આવે છે.
નવરાત્રિમાં જવ વાવવાનું મહત્વ
માન્યતા અનુસાર પ્રકૃતિની શરૂઆતમાં જે પ્રથમ પાક વાવેલો તે જવ હતો તેથી તેને પૂર્ણ પાક પણ કહેવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં માત્ર જવ વાવવાથી જ બધું નથી થતું પરંતુ તેની વધવાની ઝડપ પણ ઘણું બધું કહી જાય છે. આ 9 દિવસોમાં જવ કેટલી ઝડપથી વધે છે તે ખૂબ મહત્વનું છે. નવરાત્રિમાં જવના વાવેતરનું ખૂબ જ મહત્વ છે. તેની પાછળ કેટલાક શુભ અને અશુભ સંકેતો પણ છુપાયેલા હોય છે.
શુભ સંકેત
જો નવરાત્રિમાં વાવણી કર્યા પછી જવ ઉગવા લાગે અને જલ્દી ઘટ થઈ જાય તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે આ સૂચવે છે કે તમારા ઘરના કામકાજમાં આવતી તમામ પ્રકારની અડચણો જલ્દી દૂર થઈ જશે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. જવ ઝડપથી વધવાનો અર્થ છે કે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવા લાગી છે.
જો તમારા ઘરના જવ સફેદ અને લીલા રંગમાં ઝડપથી વધી રહ્યા હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. મતલબ કે માતાએ તમારી પૂજા સ્વીકારી છે.