નવરાત્રિના નવમા દિવસે માં સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે. જેની પૂજા કરવાથી આઠ સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે અને રોગ, ભય અને શોકમાંથી મુક્તિ મળે છે.
માં સિદ્ધીદાત્રીની પૂજા કરવાથી આઠ સિદ્ધીઓ થાય છે પ્રાપ્ત
રોગ, ભય અને શોકમાંથી મળે છે મુક્તિ
ભગવાન ભોળાનાથે પણ તપસ્યા કરીને પ્રાપ્ત કરી હતી સિદ્ધીઓ
નવમા દિવસે માં સિદ્ધીદાત્રીની કરાય છે પૂજા
નવરાત્રિના નવ દિવસ સુધી માં શક્તિના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવમા દિવસે માં સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે. માં સિદ્ધીદાત્રીની પૂજા કરવાથી રોગ, ભય અને શોકમાંથી છૂટકારો મળે છે અને આઠ સિદ્ધીઓ પ્રાપ્ત થાય છે. માં સિદ્ધીદાત્રી કમળ પર બિરાજમાન છે. માંની ચાર ભુજાઓ છે. જેમાં માંએ ગદા, શંખ, ચક્ર અને કમળનુ ફૂલ ધારણ કર્યુ છે. માં સિદ્ધીદાત્રીનુ વાહન સિંહ છે. માં સિદ્ધીદાત્રીની પાસે અણિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ગરિમા, લઘિમા, ઈશિત્વ અને વશિત્વ આ 8 સિદ્ધીઓ છે.
ભગવાન શંકરે પ્રાપ્ત કરી સિદ્ધીઓ
પૌરાણિક કથાઓ મુજબ એક વખત ભગવાન શિવે માં સિદ્ધીદાત્રીની તપસ્યા કરીને તેમની પાસેથી સિદ્ધીઓ પ્રાપ્ત કરી. માંની કૃપાથી તેમનુ અડધુ શરીર નારીનુ અને અડધુ પુરૂષનુ થયુ. ત્યારબાદ તેમને અર્ધનારેશ્વર કહેવામાં આવ્યાં. માંનુ આ સ્વરૂપ બધા દેવી-દેવતાઓના તેજથી પ્રગટ થયુ છે. જેની પાસે વર્તમાન સિદ્ધીઓ પ્રાપ્ત કરવાથી માણસમાં બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ આવી જાય છે.
દેવતાઓના તેજમાંથી અવતરિત થઇ માં સિદ્ધીદાત્રી
એક અન્ય કથા મુજબ દૈત્ય મહિષાસુરના અત્યાચારોથી પરેશાન થઇને બધા દેવો ભગવાન શિવ અને વિષ્ણુની પાસે ગયા. તેમણે ભગવાનને મહિષાસુરના અત્યાચારથી મુક્તિ અપાવવાની ગુહાર લગાવી ત્યારે ત્યાં ઉપસ્થિત બધા દેવતાઓમાંથી એક તેજ ઉત્પન્ન થયુ અને તેમાંથી માં સિદ્ધીદાત્રી અવતરિત થઇ.