નવરાત્રિના આઠમા દિવસે માં આદિશક્તિના સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માંની 4 ભુજાઓ છે અને તેમનુ વાહન વૃષભ છે. માતાએ ભગવાન ભોળાનાથને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.
નવરાત્રિના આઠમા દિવસે કરાય છે માં મહાગૌરીની પૂજા
માંએ ભગવાન ભોળાનાથને પતિ રૂપે મેળવવા કરી હતી કઠોર તપસ્યા
ત્યારે પડ્યુ હતુ માંનુ મહાગૌરી નામ
નવરાત્રિના આઠમા દિવસે માં મહાગૌરીની કરાય છે પૂજા
નવરાત્રિના આઠમા દિવસે માં આદિશક્તિના સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દુર્ગા માંનુ આઠમુ સ્વરૂપ છે. માંના બધા વસ્ત્રો અને આભૂષણ સફેદ છે. આ જ કારણ છે કે તેમને શ્વેતામ્બરધરા પણ કહેવામાં આવ્યુ છે. માંની 4 ભુજાઓ છે અને તેમનુ વાહન વૃષભ છે. માંની ઉપરવાળો જમણો હાથ અભય મુદ્રામાં છે. માંના નીચેવાળા હાથમાં ત્રિશુળ છે. ઉપરવાળા ડાબા હાથમાં ડમરૂ અને નીચેવાળો ડાબો હાથ વર મુદ્રામાં છે. જે પણ શ્રદ્ધાળુ ભક્તિભાવની સાથે માંની પૂજા-અર્ચના કરે છે. તેમની બધી મનોકામનાની પૂર્તિ માં મહાગૌરી કરે છે.
આ રીતે પડ્યુ દેવીનુ નામ મહાગૌરી
પૌરાણિક કથા મુજબ, પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધા બાદ માં પાર્વતીએ મહાદેવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. હજારો વર્ષ કઠોર તપ દરમ્યાન માંએ કશુ ખાધુ ન હતુ અને તેના કારણે તેમનુ શરીર કાળુ પડી ગયુ. તેમની તપસ્યાથી પ્રસન્ન થઇને ભગવાન ભોળાનાથે તેમનો પત્ની રૂપે સ્વીકાર કર્યો અને માતાના શરીરને ફરીથી ગોરું બનાવ્યું. ત્યારબાદ માતાને મહાગૌરીના નામથી પણ ઓળખવામાં આવ્યાં.
માનસરોવરમાં કર્યુ હતુ સ્નાન
માં મહાગૌરીને લઇને એક અન્ય પૌરાણિક કથા છે. જ્યારે માં કાલરાત્રિએ રાક્ષસોનો વધ કરવા માટે જન્મ લીધો હતો ત્યારે ભગવાન ભોળાનાથે માંને કાળી કહીને ચિડાવ્યા હતા. ત્યારબાદ માંએ શરીરને ગોરું બનાવવા માટે બ્રહ્માજીની આકરી તપસ્યા કરી હતી. ત્યારબાદ બ્રહ્માજીએ પ્રસન્ન થઇને માં પાર્વતીને હિમાલયના માનસરોવરમાં સ્નાન કરવા માટે કહ્યું. માંએ જ્યારે માનસરોવરમાં સ્નાન કર્યુ ત્યારે તેમનુ શરીર દૂધની જેમ વ્હાઈટ થયુ. ત્યારબાદ માંને મહાગૌરી કહેવામાં આવ્યું.