શારદીય નવરાત્રિનો પહેલો દિવસ 26 સપ્ટેમ્બરે છે. નવરાત્રિમાં માં દુર્ગાની મૂર્તિ બનાવવા માટે વેશ્યાલયની માટી અતિ મહત્વની હોય છે. જાણો કેમ?
માં દુર્ગાની મૂર્તિ બનાવવા વેશ્યાલયની માટી અતિ મહત્વની
માં દુર્ગાની મૂર્તિ બનાવવા માટે કેમ કરવામાં આવે છે આ માટીનો ઉપયોગ
જાણો આની પાછળ શું છે રોચક તથ્ય
26 સપ્ટેમ્બરથી શરૂ થશે નોરતા
શારદીય નવરાત્રિ આવવાની છે. પંચાગ મુજબ શારદીય નવરાત્રિ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી શરૂ થાય છે અને દસમે વિસર્જનની સાથે સમાપ્ત થાય છે. આ વખતે આ નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 ઓક્ટોબર સુધી રહેશે. આ દરમ્યાન દરેક જગ્યાએ માટીમાંથી બનાવેલી માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આવો જાણીએ માંની મૂર્તિ બનાવવા માટે માટી ક્યાથી લાવવામાં આવે છે?
માં દુર્ગાની મૂર્તિ કઈ માટીમાંથી બનાવવામાં આવે છે?
ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં નવરાત્રિનો પાવન તહેવાર ખૂબ ધૂમધામપૂર્વક મનાવવામાં આવેે છે. આ પર્વ મુખ્યત્વે 9 દિવસ સુધી ચાલે છે. આ 9 દિવસમાં માં દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે છે. આ દરમ્યાન માટીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિ અલગ-અલગ પંડાલમાં સ્થાપિત કરવામાં આવે છે અને આ પંડાલને ખૂબ સજાવવામાં આવે છે. આ પંડાલમાં માંની સ્થાપના પહેલા માતા દુર્ગા રાનીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. જેના માટે માટી ક્યાથી લાવવામાં આવે છે? આ જાણીને તમે અવશ્ય આશ્ચર્યમાં પડી જશો કે માં દુર્ગાની મૂર્તિ બનાવવા માટે વેશ્યાલયની માટીનો ઉપયોગ કરવામાં આવે છે.
માં દુર્ગાની મૂૂર્તિ બનાવવા માટે કેમ વેશ્યાલયની માટી લાવવામાં આવે છે?
વેશ્યાલયની માટીથી માતા દુર્ગાની મૂર્તિ બનાવવા પાછળ ઘણી બધી માન્યતાઓ છે. કહેવામાં આવે છે કે વેશ્યાઓએ માં દુર્ગાને પ્રાર્થના કરી હતી કે વેશ્યાલયના આંગણામાંથી લાવવામાં આવેલી માટીથી જ માંની મૂર્તિનુ નિર્માણ કરવામાં આવે ત્યારે માતા રાનીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને વરદાન આપ્યું કે જે વેશ્યાલયની માટીમાંથી બનાવવામાં આવેલી મૂર્તિની સ્થાપના કરી વિધિ વિધાન મુજબ પૂજા કરશે તેવા લોકોને વ્રત ફળશે. તે વખતથી વેશ્યાલયના આંગણમાંથી લાવવામાં આવેલી માટીથી માં દુર્ગાની મૂૂર્તિ બનાવવામાં આવે છે.