નવરાત્રીનુ પર્વ ચાલી રહ્યું છે. આ નવ દિવસમાં માં દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમ્યાન સપનામાં જો આ 5 વસ્તુઓ દેખાય તો સમજી લો કે માં ભગવતીની કૃપા મળી રહી છે.
નોરતામાં માં દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની થાય છે પૂજા
સપનામાં દેખાય આ વસ્તુઓ તો સમજો કે માં ભગવતીની કૃપા થઇ રહી છે
માં દુર્ગાની કૃપાથી કામમાં મળશે અવશ્ય સફળતા
જો સપનામાં આ વસ્તુઓ દેખાય તો આવશે શ્રેષ્ઠ સમય
નવરાત્રીનુ પર્વ માં દુર્ગાને સમર્પિત છે. માં દુર્ગાને શક્તિનુ સ્વરૂપ માનવામાં આવે છે. માં દુર્ગા બધાની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. નવરાત્રી દરમ્યાન સપનામાં જો આ વસ્તુઓ દેખાય તો આ એક શુભ સંયોગ અને શ્રેષ્ઠ સમય આવવાનો સંકેત હોઇ શકે છે. આવો જાણીએ કઈ છે આ વસ્તુેઓ.
નવરાત્રીમાં માતાની સવારી વાઘનુ દેખાવુ
નોરતામાં જો સપનામાં શેર જોવા મળે છે તો આ વાતનો સંકેત છે કે આગામી દિવસમાં તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. એટલેકે અડચણ અને પરેશાનીઓ દૂર થશે.
સપનામાં સુહાગનો સામાન જોવો
નવરાત્રીમાં જો સપનામાં સુહાગની ચીજ વસ્તુઓને જોવો છો અથવા પછી તેને ખરીદતા જોવો છો તો આ ખૂબ સારો સંકેત હોય છે. જેનો અર્થ થાય છે કે તમારી પર માં દુર્ગાની કૃપા છે. આ સુખી દામ્પત્ય જીવનનો સંકેત હોઇ શકે છે. એટલેકે દામ્પત્ય જીવનમાં મધુરતા વધશે.
સપનામાં બંગડી ખરીદવાનો શું અર્થ થાય છે
નવરાત્રીમાં જો સપનામાં તમે બંગડી જોવો છો તો તેનો અર્થ છે કે લગ્ન સંબંધી મામલામાં આવતી અડચણો દૂર થશે. જે લોકોના લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવી રહી છે. લગ્ન થવામાં વિલંબ થઇ રહ્યો છે તો આ બધી સમસ્યાઓ દૂર થવાનો સંકેત હોઇ શકે છે.
સપનામાં ફળ ખાવા અથવા જોવા
નોરતામાં જો સપનામાં ફળ જોવો છો અથવા તેને ખાતા જોવો છો તો આ જીવનમાં ખુશીનો સંકેત હોઇ શકે છે. જેનો અર્થ એવો પણ હોઇ શકે છે કે માં દુર્ગા તમારા પર કૃપા વરસાવવા જઇ રહી છે. કોઈ કાર્યમાં સફળતા મેળવશો.