નવરાત્રીને દેશના અલગ અલગ ભાગોમાં અલગ-અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે.
આજથી નવરાત્રીનો શુભારંભ
9 દિવસ લોકો કરે છે વ્રત
વ્રત પહેલા ધ્યાનમાં રાખો આ 5 વાતો
આજથી શારદીય નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા થાય છે. નવરાત્રીના વ્રત આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રથન તિથિથી નવમી તિથિના નવ દિવસ માતા દુર્ગાને સમર્પિત થાય છે. નવરાત્રિના નવ દિવસના વ્રતનું ખાસ મહત્વ હોય છે. અમુક લોકો પહેલા અને છેલ્લા દિવસે વ્રત કરે છે. જ્યારે અમુક લોકો આખા 9 દિવસના ઉપવાસ કરે છે. અમુક લોકો ફલાહાર કરે છે તો ઘણા લોકો ખાધા-પિધા વગર નવરાત્રિના વ્રત કરે છે.
આ નવ દિવસમાં માતાના ભક્તો ઘણા પ્રકારના નિયમોનું પાલન કરતા હોય છે. આવો જાણીએ વ્રત વખતે કયા નિયોમનું ધ્યાન રાખવું જોઈએ.
નવરાત્રીના વ્રતમાં સંપૂર્ણ પણે સાત્વિક ભોજન કરવું જોઈએ. ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત કોઈ માટે ખરાબ ન બોલવું જોઈએ.
માતા દુર્ગાના આગમન પહેલા જ ઘરની સાફ-સફાઈ કરલી લો. માન્યતા છે કે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં માતાની કૃપા નથી રહેતી. એવામાં નવરાત્રિમાં ઘરની સાફ-સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરના પૂજા સ્થળને સારી રીતે સ્વચ્છ કરી લો. ગંગાજળનો છંટકાવ કરો. ત્યાર બાદ માતાની પૂજા કરો અને ભોગ લગાવો.
નવરાત્રિના 9 દિવસ અલગ અલગ રંગના કપડા પહેરવામાં આવે છે. આ સમયે રંગોનું ખાસ મહત્વ હોય છે.
માતાની સ્થાપના કર્યા પહેલા ત્યાં સ્વસ્તિક બનાવી લો. આ ઉપરાંત કળશ સ્થાપાના કરી પૂજા સમાગ્રી પણ આ જગ્યા પર એકત્રિત કરીને મુકી લો જેથી પૂજાના સમયે કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય.
નવરાત્રિ વખતે માંસ-મચ્છીનું સેવન ન કરો. નવરાત્રી પહેલા જ તમે વાળા દાઢી કપાવી લો. નવરાત્રીમાં આ દરેક વસ્તુઓ કરવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત નખ પણ ન કાપવા જોઈએ.