હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં 4 વાર નવરાત્રિનો તહેવાર આવે છે તેમાં ચૈત્ર નવરાત્રિ 13 એપ્લિથી શરૂ થશે અને 21 એપ્રિલે સમાપ્ત થશે.
13 એપ્રિલથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ
21 એપ્રિલે પૂરી થશે નવરાત્રિ
જાણો પૂજાનો સમય અને મૂહૂર્ત
હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં 4 વાર નવરાત્રિનો તહેવાર આવે છે તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિનું મહત્વ ઘણું વધારે રહે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13થી 21 એપ્રિલ સુધી ઉજવાશે.
નવરાત્રિમાં માતા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરાય છે. 9 દિવસ સુધી ચાલતા આ પાવન પર્વમાં શ્રદ્ધાળુઓ માતાની પૂજા અર્ચના કરે છે. દેવી દુર્ગાના 9 સ્વરૂપને અલગ ચીજનો ભોગ લગાવાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરાય છે. આ દિવસનું ખાસ મહત્વ હોય છે. પૌરાણિક કથા અનુસાર કળશને ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કળશની સ્થાપના કરાય છે.
કળશ સ્થાપનાના શુભ મૂહૂર્ત
કળશ સ્થાપના ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ કહેવાય છે.
તિથિ આરંભ - 12 એપ્રિલ સવારે 8-00 વાગે
તિથિ સમાપ્ત - 13 એપ્રિલ સવારે 10.16 વાહે
કળશ સ્થાપના - 13 એપ્રિલ સવારે 5.58થી 10-14 વાગ્યા સુધી
કેવી રીતે કરશો કળશ સ્થાપના
કળશ સ્થાપના માટે સૌ પહેલા સવારે ઉઠીને સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરો, મંદિરની સાફ સફાઈ કરો અને સફેદ કે લાલ કપડું પાથરો, આ કપડા પર થોડા ચોખા રાખો. એક માટીના વાસણમાં જવ વાવો. આ પાત્ર પર જળ ભરેલો લોટો રાખો. કળશ પર સ્વસ્તિક બનાવો. કળશમાં સાબુત સોપારી, સિક્કા અને ચોખા નાંથો. અશોકના પાન રાખો. નારિયેળ લો અને તેની પર ચુંદડી વાળું કપડું લપેટીને કલાવાથી બાંધો. આ નારિયેળને કળશ ઉપર રાખીને દેવી દુર્ગાની આરાધના કરો. આ પછી દીપ પ્રગટાવીને કળશની પૂજા કરો. નવરાત્રિમાં દેવીની પૂજા માટે સોનું, ચાંદી, પીત્તળ કે માટીના કળશ સ્થાપિત કરાય છે.