સોસાયટીમાં વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા રમવા આવશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને તહેવારોના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઇ હતી, જેમાં નવરાત્રીમાં છૂટછાટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રીએ કેટલાક નિયમો અંગે જાહેરાત કરી છે. નવરાત્રી મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતી માટે નવરાત્રી આસ્થાનો તહેવાર છે. કોરોનાના કારણે બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઇ શકતું નથી. આ વખતે CMએ તમામ વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય કર્યો છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઇન સાથે ગરબા રમાશે.
શેરી ગરબામાં 400 લોકો સુધીની છૂટ, 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહતઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું કે, શેરી ગરબાનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શેરી ગરબામાં 400 લોકો સુધીની છૂટ આપવામાં આવી છે. જોકે કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાની છૂટ આપવામાં આવી નથી. મહાનગરોમાં 12 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ.
વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશેઃ હર્ષ સંઘવી
વધુમાં સંઘવીએ કહ્યું કે, વેક્સીન લીધી હોય લોકો જ ગરબા રમવા આવશે. નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે. અન્ય તહેવાર પણ સારી રીતે ઉજવી શકાય તે અંગે શુભકામના. અનેક મહાનગરોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. બીજા ડોઝ માટે કામગીરી કરવામાં આવી રહી છે. આસ્થા જળવાઈ રહે તેવી કામગીરી કરવામાં આવી છે. ગુજરાતના લોકો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. ગરબા ખૂબ મહત્વનો તહેવાર છે. નિણર્ય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે.
નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહીં કરેઃ હર્ષ સંઘવી
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજાય. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહીં કરવામાં આવે. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહીં કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહીં. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહીં માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.