17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી પવિત્ર એવો નવરાત્રિનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. ભારતમાં તમામ લોકો માટે આ નવ દિવસ ખૂબ જ શ્રદ્ધાથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ માન્યતાઓ અનુસાર પ્રત્યેક દિવસ માટે શુભ માનવામાં આવતા કપડાઓના રંગ નક્કી હોય છે ઠીક તેમ જ નવરાત્રીમાં પણ નવ દિવસ ખાસ રંગના કપડા પહેરવા જોઇએ. મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની આરાધના સમયે ખાસ વસ્ત્રો પહેરાવાથી લાભ થાય છે. જો તમે પણ આ 9 દિવસે ખાસ રંગના વસ્ત્રો પહેરો છો તો તમને માતાના આર્શિવાદ મળી શકે છે.
નવરાત્રિની પૂજામાં રાખો આ ધ્યાન
9 દિવસ પહેરો આ 9 રંગના વસ્ત્રો
દરેક દિવસના માતાના રૂપનું છે અલગ મહત્વ
પહેલો દિવસ: પહેલા દિવસને માતા શૈલપુત્રીનો દિવસ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે તમે જો કંઇક પીળા રંગનું પહેરશો તો તે તમારા માટે શુભ રહેશે.
બીજો દિવસ: આ દિવસે બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે આ દિવસનો રંગીલો હોવાથી દિવસની પૂજા લીલા રંગના કપડાં પહેરીને જોઈએ. તેમાં જો ડાર્ક ગ્રીન કલર હોય તો વધારે સારું રહેશે.
ત્રીજો દિવસ: ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પુજા કરવામાં આવે છે, તે દિવસે બ્લુ રંગ પહેરી શકો છો. જે શુભ મનાય છે.
ચોથો દિવસ : નવરાત્રિનો ઉત્સાહમાં ચાર ગણો વધારો થઇ જાય છે, આ દિવસે માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસ માટે તમે ઑરેન્જ કલર પહેરીને પોતાને ફીલગુડનો અનુભવ કરાવી શકો છો.
પાંચમો દિવસ: પાંચમાં દિવસે આધશક્તિના પાંચમાં સ્વરુપ સ્કંદમાતાની પુજા કરવામાં આવે છે. ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરનાર માતાનું પૂજન સફેદ રંગના વસ્ત્ર પહેરીને કરવું જોઈએ. સ્કંદમાતા દ્વાર ખોલી આપનાર માતા તરીકે પણ ઓળખાય છે.
છડ્ડા દિવસ: દુર્ગા માતાને તમે લાલ કપડામાં જ જોયા હશે, કારણ કે આ લાલ રંગ માતાની શક્તિનું પણ પ્રતિક છે. જે તમારા માટે શુભ રહેશે.
સાતમો દિવસ: દુર્ગામાતાનું એક સ્વરુપ કાલરાત્રિ પણ છે, જેમાં નવરાત્રિના સાતમાં દિવસે પુજા થાય છે, આ દિવસે તમે બ્લુ રંગના વસ્ત્રો પહેરી શકો. જે આકર્ષણ પણ લાગશે.
આઠમો દિવસ: આ દિવસને અષ્ઠમી કહેવામાં આવે છે. ભક્તજનો ખુબ જ ઉત્સાહ સાથે અષ્ટમીની પુજા અર્ચના કરે છે. મહાગૌરીની પૂજા કરતી વખતે ગુલાબી રંગ શુભ રહે છે અષ્ટમીની પૂજા તે વખતે અને કન્યાઓને જમાડતી વખતે પણ ગુલાબી કપડા જ પહેરવા જોઈએ.
નવમો દિવસ: આ નવ દિવસના મહાપર્વમાં આદ્યશક્તિના નવ સ્વરૂપોની ધામધૂમથી પૂજા કર્યા બાદ છેલ્લા સિદ્ધદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે. કારણ કે આ છેલ્લો દિવસ હોય છે, એટલા માટે તેમના સેંકડો ભક્ત માતાજીના દરબારમાં દર્શન કરવા માટે આવે છે. તેથી આ દિવસે પહેરવામાં આવતા રંગની વાત કરીએ તો જાબંલી રંગના કપડા પહેરીને તમે માતાજીની પૂજા-અર્ચના કરી શકો છો.