આ વર્ષે નવરાત્રિ અધિકમાસના કારણે એક મહિનો મોડી છે. આવતીકાલથી એટલે કે 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. 9 દિવસ સુધી ચાલનારો આ માતાજીનો ઉત્સવ અનેક રાશિના જાતકો માટે શુભદાયી રહેશે. 58 વર્ષ બાદ બની રહેલા ખાસ સંયોગના કારણે આ નવરાત્રિમાં માતાજીની પૂજા કરીને મનોકામના કરવાથી તે પૂર્ણ થશે.
આવતીકાલથી શરૂ થશે નવરાત્રિ
જાણો ખાસ સંયોગ કઈ રાશિના જાતકોને આપશે ફાયદો
જાણી લો કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિ અને ગુરુ ગ્રહ લગભગ 58 વર્ષ બાદ પોતાની રાશિમાં હાજર રહેશે. શનિ ગ્રહની રાશિ મકર અને ગુરુની પોતાની રાશિ ધનુ છે. જ્યોતિષીઓના આધારે આ શુભ સંયોગ કળશ સ્થાપના માટે શુભ છે.