ગાંધીનગરમાં રૂપાલ ગામે યોજાતી મા વરદાયીની માની પલ્લી કેન્સલ કરવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યું હતુ.
પલ્લીને લઈને નીતિન પટેલનું નિવેદન
`પલ્લી નહી કાઢવાનો નિર્ણય રૂપાલના લોકોનો'
`કોરોનાને લઇ સરકારના નિર્ણયમાં સહકાર'
રૂપાલની પલ્લી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે, રૂપાલના લોકોએ નક્કી કર્યું છે પલ્લી નહી નીકળે. કોઇએ પણ નવરાત્રી રદ કરવાનો વિરોધ નથી કર્યો. કોરોનાને લઇ લોકો સરકારના નિર્ણયમાં સહકાર આપે છે.
ગાંધીનગરમાં રૂપાલ ગામે પલ્લીનું આયોજન રદ
કોરોના સંક્રમણને લઇ પલ્લીનું આયોજન રદ કરાયું છે. રૂપાલ ગ્રામ પંચાયતે નોટિસ બહાર પાડી છે. બહારગામના લોકોનો રૂપાલ ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો. સોમવાર સુધી બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલું જ નહીં પણ રૂપાલની બજારો બંધ રાખવા માટે કરાયું ફરમાન. આજથી બપોરે 12વાગ્યાથી બજારો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. 26 તારીખે સવારે 6 વાગ્યા સુધી બજારો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. માત્ર મેડિકલ, શાકભાજી, દૂધ અને ઘંટી ચાલું રહેશે. નોટિસનો અમલ નહી કરનાર સામે કાયદેસરના પગલાં લેવાશે.