રૂપાલ પલ્લીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પલ્લીને લઈને સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી ત્યારે સરકાર નિર્ણય ન લેતા ટ્રસ્ટીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પલ્લીને લઇને ટ્રસ્ટીઓને ગાઇડલાઇન નથી મળી. ગાંધીનગર એસપી રૂપાલ મંદિરની મુલાકાત લેશે.
રૂપાલની પલ્લીને લઇ નથી લેવાયો નિર્ણય
સરકારે હજુ કોઇ નિર્ણય નથી લીધો
નિર્ણય ન લેતા ટ્રસ્ટીઓમુશ્કેલીમાં
સરકાર આજે સાંજ સુધી નિર્ણય નહી લે તો પલ્લી નહી નીકળે. ટ્રસ્ટી અને જિલ્લા વહીવટી વિભાગ સાથે સાંજ સુધીમાં આ અંગે ચર્ચા થશે. સરકાર ગાઇડલાઇન જાહેર કરશે તો જ પલ્લી નિકળશે. પલ્લીમાં સમિતિના લોકો હાજર રહેવાની ગ્રામજનોએ આપી ખાતરી છે. નવરાત્રીમાં આઠમની રાત્રે પલ્લી નિકળે છે. પલ્લીના દર્શન માટે લાખો શ્રદ્વાળુઓ ઉમેટતા હોય છે. કોરોના સંક્રમણને લઇ રૂપાલ પલ્લી પર સંકટના વાદળ ઘેરાયા છે.
રૂપાલ સ્થિત વરદાયની માતાની પલ્લી પર આશરે રૂ.20 કરોડનું 4 લાખ કિલો ઘી ચડાવવામાં આવ્યું હતું. આ પલ્લીમાં 5 જ્યોતની પલ્લી રૂપાલના 27 ચકલામાંથી પસાર થઈ હતી. તે તમામ ચકલામાં ઘી ભરવાના પીપડાં અને ટ્રેક્ટરની ટ્રોલીઓ રાખવામાં આવી હતી. વહેલી સવારે શ્રદ્ધાળુઓએ પલ્લી પર ઘીનો અભિષેક કર્યો હતો જેને કારણે સમગ્ર ગામમાં ઘીની નદીઓ વહેતી થઇ હતી. મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ માતાજીની પલ્લીના આશરે દસ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા હતા. આટલા મોટા સમૂહને ધ્યાનમાં રાખીને પાર્કિંગની 7 જગ્યા એ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરક્ષા માટે 500 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે 200 જેટલા હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા હતા. વધુમાં 17થી18 જગ્યાએ વિડીયોગ્રાફી તેમજ 15 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવાયા હતા.
આ રહ્યો પલ્લીનો ઈતિહાસ અને વાયકા
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે મા વરદાયિનીની પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે છૂપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી.
જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી.
આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે