PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે નવરાત્રિના અવસરે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. PMએ કહ્યું કે નવરાત્રિના પાવન અવસરની અનેકગણી શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા તમારા દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી.
આજથી નવરાત્રિનો તહેવાર શરૂ
PM મોદી અને શાહે પાઠવી શુભકામનાઓ
મા જગદંબા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવેઃ PM
PM મોદીએ કર્યું ટ્વિટ
ॐ देवी शैलपुत्र्यै नमः॥ નવરાત્રિના પહેલાં દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આર્શિવાદથી આપણા ગ્રહ સુરક્ષિત, સમૃદ્ધ અને સ્વસ્થ થઈ શકે છે. તેમના આર્શિવાદથી ગરીબોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની શક્તિ મળે છે.
ॐ देवी शैलपुत्र्यै नमः॥
Pranams to Maa Shailputri on Day 1 of Navratri. With her blessings, may our planet be safe, healthy and prosperous. May her blessings give us strength to bring a positive change in the lives of the poor and downtrodden. pic.twitter.com/0iIMFx8cZz
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું કે નવરાત્રિ તપ, સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે. નવરાત્રિના મહાપર્વની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. મા ભગવતી દરેક પર કૃપા અને આર્શિવાદ બનાવી રાખે. જય માતા દી.
‘नवरात्रि’ तप, साधना और शक्ति उपासना का प्रतीक है।
नवरात्रि के महापर्व की समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ। माँ भगवती सभी पर अपनी कृपा व आशीर्वाद बनाये रखें।
जय माता दी! pic.twitter.com/cuIvns5RmI
આજથી નવરાત્રિનું પર્વ શરૂ થયું છે અને આજે પહેલું નોરતું છે. 9 દિવસમાં મા જગદંબાના 9 રૂપની પૂજા કરાશે. જેમાં પહેલો દિવસ મા શૈલપુત્રીને સમર્પિત રહે છે. તે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેમને શૈલપુત્રી કહેવાય છે. આ સ્વરૂપ શાંત, સૌમ્ય અને પ્રભાવશાળી ગણાય છે. વિધિ વિધાન સાથે તેમની પૂજા કરીને નવરાત્રિની શરૂઆત કરાય છે.