અમદાવાદમાં નવરાત્રીને લઇને પોલીસની સ્પષ્ટતા સામે આવી છે. નવરાત્રીમાં આરતી માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે. આરતી વખતે પણ લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું જોઇએ. પ્લોટની ક્ષમતા પ્રમાણે જ માણસો ભેગા કરી શકાશે. સરકારે 200 લોકો ભેગા કરવાની મંજૂરી આપી છે. આયોજન માટેનો પ્લોટ નાનો હશે તો 200 લોકો ભેગા નહી કરી શકાય. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આરતી માટે પોલીસની મંજૂરી નહી મળે. મંજૂરી વિના આયોજન કરવા પર ગુનો દાખલ કરવામાં આવશે.