નવરાત્રી મામલે ગુજરાત સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે સોસાયટી અને ફ્લેટના રહિશોએ પોતાના પટ્ટાગણમાં માતાજીની સ્થાપના પ્રસાદ આરતી માટે હવે પોલીસ પરમિશનની જરૂર નહીં રહે.
નવરાત્રીને લઇ સરકારનો મોટો નિર્ણય
આરતી અને પૂજા માટે પોલીસની મંજૂરીની જરૂર નહી
માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી
નવરાત્રીમાં હવે પોલીસ પરમિશન મામલે પણ ફેરવી તોળ્યું છે. જેમાં સોસાયટી કે ફ્લેટના રહીશોએ તેમના ત્યાં કે પ્રિમાઈસીસમાં માતાજીની આરતી કે પૂજા કરવા કોઈપણ પ્રકારની પોલીસ પરમિશન લેવી જરૂરી ન હોવાનું અખબારી યાદીમાં નિવેદન કર્યું છે.
માર્ગો જાહેર સ્થળો અને સાર્વજનિક સ્થળે મંજૂરી જરૂરી
સરકારી ગાઈડલાઈન મમુજબ સોસાયટી કે ફ્લેટમાં પરમિશનની કોઈ જરૂર નથી. પરંતુ નવરાત્રિની ઉજવણી દરમિયાન પૂજા કે આરતી જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળે કરવી હોય તો તેના માટે પોલીસની પરમિશન લેવી જરૂરી રહેશે.