નવરાત્રિમાં વ્રત રાખતા સમયે લોકો સાત્વિક ભોજનનું સેવન કરતા હોય છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે જે 25 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિમાં જ્યારે આખી સૃષ્ટિ જ્યારે મા દુર્ગાની પૂજામાં ડૂબેલી હોય છે ત્યારે કેટલાક ખાસ કાર્યોથી દૂર રહેવું જોઈએ. નહિંતર મા દુર્ગાના આશીર્વાદ મળવાને બદલે શ્રાપ મળે છે. આ દિવસોમાં કેટલાક આહારને નિષેધ ગણાય છે અને કેટલાક કામ પણ વર્જિત માનવામાં આવે છે. તો જાણો અને ભૂલથી પણ આ નવરાત્રિમાં ધ્યાન રાખો ખાસ વાતો
નવરાત્રિના 9 દિવસ રાખો આ વાતનું ધ્યાન
ભૂલથી પણ ન કરશો 9 દિવસ સુધી આ કામ
જાણો શું ખાવું અને શું નહીં, સાત્વિક ખોરાકનું મહત્વ
ભૂલથી પણ ન કરશો આ કામ
9 દિવસ સુધી ઘર ખાલી ન છોડવું જોઈએ.
વ્રત રાખનારાએ બેલ્ટ, ચપ્પલ, જૂતા કે ચામડાની બનેલી કોઈ ચીજ ન પહેરવી જોઈએ.
એક ઘરમાં ત્રણ શક્તિઓની પૂજા ન કરવી જોઈએ.
9 દિવસ બ્રહ્મચર્ય પાળવું.
મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન સાત દિવસ સુધી પૂજન ન કરવું જોઈએ.