ગુજરાતીઓ માટે નવરાત્રિ સૌથી ખાસ તહેવાર ગણાય છે. એક મહિના પહેલાથી ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. કોરના વાઇરસ વકરે નહીં તે માટે સરકારે ગરબાની મંજૂરી આપી નથી ત્યારે હવે ખૈલયાઓએ ગરબા રમવા માટેનો જુગાડ શોધી લીધો છે. ફ્લેટના કોમન પેસેજમાં તેમજ પ્રાઇવેટ ટેરેસ પર ખૈલયાઓ મન મૂકીને ડીજેના તાલે ગરબાની મજા લઇ રહ્યા છે.
લોકો બિન્દાસ ફ્લેટના પેસેજ પર ગરબા કરે છે
ટાબરિયાંઓ ફોન કરીને સૂચના આપી દે
ઠેર ઠેર લોકો પોતાની રીતે ગરબાની મજા માણી રહ્યા છે
કોરોનાની મહામારીને પગલે કેન્દ્ર સરકારની ધાર્મિક તહેવારો અંગે રજૂ કરાયેલી ગાઈડ લાઇન્સ આધારે ગુજરાતમાં પણ માત્ર નવરાત્રિમાં માતાજીની આરાધના, સ્થાપના કરવાની મંજૂરી આપી છે. આજે ત્રીજું નોરતું છે ત્યારે ખૈલયાઓ ગરબા રમવા માટે અનેક જુગાડ શોધી લીધા છે. માતાજીની આરતી કરી લીધા બાદ ફ્લેટોમાં ખૈલયાઓ ગરબા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાઇરાઇઝ ફ્લેટમાં આવેલા કોમન પેસેજમાં લાઇટો તેમજ સિરીઝ લગાવીને રહીશો હોમ થીએેટર, બ્લુ ટૂથ સ્પીકર પર ડીજેના તાલે ગરબા કરી રહ્યા છે.
ઠેર ઠેર લોકો પોતાની રીતે ગરબાની મજા માણી રહ્યા છે
આજે શહેરમાં કેટલાક એવા સમજુ લોકો છે જે સરકારની ગાઇડલાઇન પ્રમાણે માતાજીની આરતી કરે છે અને બેઠા બેઠા ગરબા ગાય છે અને માતાજીની આરાધના કરે છે. પોતાનાં ઘરમાં ગરબા કરી શકાય છે પરંતુ ફ્લેટના કોમન પેસેજમાં તેમજ પ્રાઇવેટ ટેરેસ પર ગરબા કરે તો સરકારના નિયમોનું ઉલ્લંઘન થાય છે. પરતુ આજે ઠેર ઠેર લોકો પોતાની રીતે ગરબાની મજા માણી રહ્યા છે
લોકો બિન્દાસ ફ્લેટના પેસેજ પર ગરબા કરે છે
પોલીસનું સતત પેટ્રોલિંગ હોવા છતાંય લોકો બિન્દાસ ફ્લેટના પેસેજ પર ગરબા કરે છે. ગરબા સમયે પોલીસ આવીને ભંગ પડાવે નહીં તે માટે સોસાયટીના કેટલાક છોકરાઓ અને ટાબરિયાંઓ ગેટ પાસે પણ ઊભા રાખે છે.
ટાબરિયાંઓ ફોન કરીને સૂચના આપી દે
જો પોલીસ ભંગ પડાવવા માટે આવે તો તરત જ છોકરાઓ કે ટાબરિયાંઓ ફોન કરીને સૂચના આપી દે. આ વર્ષે કોરોનાના કારણે સદંતર નીરસ નવરાત્રિ અને તે પણ ગરબા વગર શરૂ થઇ છે. ખેલૈયાઓ ઝાકઝમાળભર્યાં લાઇટિંગ અને કર્ણપ્રિય ગરબાના તાલ પર ઝૂમતા હોય તેના બદલે સર્વત્ર સુનકાર વ્યાપી ગયો છે. નવરાત્રિ સાથે લોકોની જોડાયેલી ભાવનાને જોતાં આરતી સાથે થતા પાંચ ગરબા અને ઘરમાં કે બંગલામાં પરિવારના ૧૦ થી ૧૫ વ્યકિતના ગરબા પ્રત્યે કોઇ કાર્યવાહી નહીં કરવા મૌખિક સૂચના પણ અપવામાં આવી છે.