દુનિયામાં સૌથી લાંબા નૃત્યોત્સવ તરીકે ઓળખાતી નવરાતરમાં ખાલી ગરબા રમવા માટે જ નહીં પરંતુ મા જગદંબાના કિર્તન અને ભજન તેમજ વ્રત ઉપવાસ નૈવદ્ય માટે પણ જાણીતી છે. ત્યારે આ વર્ષે નવરાત્રીમાં એક અલગ જ પ્રકારનો દુર્લભ યોગ બની રહ્યો ચે આવો જાણીએ શું છે તે સંયોગ?
2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો
58 વર્ષ પછી શનિ-ગુરુનો પણ દુર્લભ યોગ બની રહ્યો છે
આ વખતે અખંડ નવરાતર
17 ઓક્ટોબરથી નવરાતર શરૂ થઈ રહી છે. આ પર્વ 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વખતે નવરાત્રિની શરૂઆતમાં 17 તારીખે જ સૂર્યનું રાશિ પરિવર્તન પણ થશે. સૂર્ય તુલામાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં પહેલાંથી વક્રી બુધ પણ રહેશે. આ કારણે બુધ-આદિત્ય યોગ બનશે. 58 વર્ષ પછી શનિ-ગુરુનો પણ દુર્લભ યોગ બની રહ્યો છે.
2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો.
આ નવરાત્રિમાં શનિ મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ બંને ગ્રહ 58 વર્ષ પછી નવરાત્રિમાં એકસાથે પોત-પોતાની રાશિમાં સ્થિત રહેશે. 2020 પહેલાં 1962માં આ યોગ બન્યો હતો. તે સમયે 29 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઇ હતી.
આ વખતે અખંડ નવરાતર
આ વર્ષે નવરાત્રિ નવે-નવ દિવસ રહેશે. આ દિવસે સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરીને નીચનો થઇ જશે. 17 તારીખે બુધ અને ચંદ્ર પણ તુલા રાશિમાં રહેશે. ચંદ્ર 18 તારીખે વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. પરંતુ સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ નવરાત્રિના નવે-નવ દિવસ રહેશે.