નવરાત્રિનો પર્વ ખુશી અને સમૃદ્ધિ લઇને આવે છે. આ વખતે શારદીય નવરાત્રિની શરૂઆત 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે જે 8 ઑક્ટોબર સુધી ચાલશે. આ 9 દિવસોમાં દેવી મા ને પ્રસન્ન કરવા માટે કળશ સ્થાપના સહિત કેટલાક અન્ય ઉપાય કરવાથી બમણો લાભ થઇ શકે છે.
પાણી વાળા નારિયેળનો ઉપાય બનાવી શકે છે તમને માલામાલ
મકાનનું સપનું જોનાર લોકો પણ નવરાત્રિમાં કેટલાક ખાસ ઉપાય કરી શકે છે
જે લોકો નવું કામ શરૂ કરવા ઇચ્છે છે અથવા કોઇ મનોકામના છે તો એમને નવરાત્રિના 9 દિવસ દરમિયાન દુર્ગા મા ને લાલ સિંદૂર ચઢાવવું જોઇએ.
જો તમે પ્રોપર્ટી ખરીદવા ઇચ્છો છો અને તમારા મકાનનું સપનું જોવો છો તો આ નવરાત્રિએ તમે માટીથી બનેલું એક ઘર ખરીદીની લાવો. હવે એને દેવી મા ની પૂજન સ્થાન પાસે રાખી મૂકો. હવે દરરોજ 9 દિવસ સુધી મા ની આરાધના બાદ ઘર પર તિલક લગાવો, એનાથી દેવી મા જલ્દીથી તમારી ઇચ્છા પૂરી કરશે.
નોકરી અથવા વેપારમાં તરક્કી મેળવવા માટે નવરાત્રિના દિવસે ઘરમાં 3 પાણી ભરેલા નારિયેળ લાવો. હવે એને નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમીએ દેવી મા ના કોઇ મંદિરમાં ચઢાવી દો.
બીજાને આકર્ષિત કરવા માટે નવરાત્રિના 9 દિવસ દેી મા ને લાલ ચંદન અર્પણ કરો. હવે ચઢાવવામાં આવેલા ચંદનનું તિલક તમારા માથા પર લગાવી દો. એનાથી તમારી આસપાસના લોકો તમારાથી ખુશ રહેશે.
આર્થિક તંગીથી છુટકારો મેળવવા માટે નવરાત્રિ કમળના ફૂલ પર બિરાજમાન મા લક્ષ્મીની પૂજા કરો, એનાથી ઘમાં ધન-ધાન્યની વૃદ્ધિ થશે.
જેના લગ્નમાં અડચણો આવી રહી છે એને આ નવરાત્રિ શ્રૃંગારનો સામાન દાન કરવો જોઇએ. સાથે જ દેવી મા ને લાલ ફૂલોની માળા ચઢાવવી જોઇએ. એનાથી સમસ્યાઓ દૂર થશે.
જો બાળકનું મન અભ્યાસમાં લાગતું નથી તો તમે આ નવરાત્રિ મોરપીંછુ ખરીદીની લાવો. હવે એને તમારા બાળકના રૂમમાં મૂકી દો. એનાથી ફોકસ વધશે.
જો ઘરનું કોઇ અન્ય સભ્ય ખૂબ જ બિમાર છે તો એને નવરાત્રિ પર ઘરમાં માટી અને કાંસાનો દીવો લાવો જોઇએ. આ કામ રાતે સૂતા પહેલા કરો. પ્રયત્ન કરો કે દીવાની રોશની બિમાર માણસ પર પડતી રહે. એનાથી નકારાત્મક દૂર થશે.
જે લોકો જલ્દીથી માલામાલ બના ઇચ્છે છે એમને નવરાત્રિ પર સોના અથવા ચાંદીનો એક સિક્કો દેવી દુર્ગાના પગમાં મૂકવું જોઇએ. હવે નવમી તિથિએ સિક્કાને ગુલાબી કપડામાં બાંધીને તિજોરી અથવા રૂપિયા રાખતા હોવ એ જગ્યાએ મૂકી દેવા જોઇએ. એનાથી મા લક્ષ્મીની તમારી પર હંમેશા કૃપા બનેલી રહેશે.