નવરાત્રી આંગણે આવીને થનગનાટ કરતી ઉભી છે. ત્યારે ભાવિક-ભક્તો યથાશક્તિ મુજબ જગદંબાની પૂજા-અર્ચના ભક્તિભાવથી કરશે. નવરાત્રી દરમિયાન કેટલાક લોકો નવ દિવસનો ઉપવાસ રાખીને જગત જનનીના નવ સ્વરૂપની આરાધનામાં મગ્ન બને છે. તો કેટલાક ભક્તજનો 9 દિવસના ઉપવાસ રાખીને આદ્યશક્તિની ઉપાસના કરતા હોય છે.
નવરાત્રી દરમિયાન આ બાબતનું રાખો ધ્યાન
વ્રત રાખનાર વ્યક્તિ જમીન પર સૂઇ જાય તો સારું ફળ પ્રાપ્ત કરે
મહત્વનું છે કે નવરાત્રીના નવ દિવસ સુધી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવશું કે નવરાત્રીના ઉપવાસમાં કઇ-કઇ વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે.
આ વાતોનું રાખો ધ્યાન:
- સૌ પ્રથમ તો... કાળા રંગના કપડાં ન પહેરવા જોઇએ.
- વ્રતના ભોજનમાં અનાજ અને મીઠા(નમક)નું સેવન ન કરવું જોઇએ.
- મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન 7 દિવસ સુધી પૂજા ન કરવી જોઇએ.
- કળશ સ્થાપના કરતા લોકો અથવા અખંડ દીવો પ્રગટાવનાર લોકોએ નવ દિવસ સુધી પોતાનું ઘર ખાલી ન છોડવું જોઇએ.
- ઘરમાં હિંસા અને કંકાસ ન થવો જોઇએ.
- વ્રત રાખનાર વ્યક્તિ જમીન પર સૂઇ જાય તો સારું ફળ પ્રાપ્ત કરે છે.
- ઘરમાં સાત્વિક ભોજન બનાવવું જોઇએ.
- લસણ ડુંગળી અને નૉનવેજથી દૂર રહેવું જોઇએ.
- નવરાત્રીનો વ્રત રાખનાર લોકોએ પૂજા દરમિયાન બેલ્ટ ચંપલ-બૂટ અથવા ચામડામાંથી બનાવેલ કોઇ પણ વસ્તુ પાસે રાખવી ન જોઇએ.
જો ઉપર જણાવેલી વાતોનું તમે પાલન કરો છો તો તમારે ઉપવાસ જરૂર ફળે છે. આદ્યશક્તિ તમારી સાર-સંભાળ રાખે છે અને હમેંશા તમારો સાથ આપી તમને ઉગારે છે.