નવરાત્રી દરમિયાન અલગ અલગ જગ્યાએ માતાની પૂજા કરવામાં આવે છે. કુંવારી કન્યાઓથી લઇને સુહાગન સ્ત્રીઓ સુધી તમામની પૂજા કરવામાં આવે છે. પરંતુ બિહારમાં દેવીનું એક એવું મંદિર છે જ્યાં નવરાત્રીના દિવસોમાં મહિલાઓના પ્રવેશ સુધીની પરવાનગી હોતી નથી. એની પાછળ શું કારણ છે એ પણ જાણી લો.
નવરાત્રીના 9 દિવસ આ મંદિરમાં મહિલાઓને નથી મળતો પ્રવેશ
9મી શતાબ્દીથી ચાલી આવે છે પરંપરા
બિહારના નાલંદા જિલ્લામાં સ્થિત મા આશાપુરી નું આ મંદિર ખૂબ જૂનુ અને પ્રસિદ્ધ છે. જાણકારોનું કહેવું છે કે એ 9મી શતાબ્દીમાં વ્રજ તંત્ર જ્ઞાન અને સહજ જ્ઞાનનો ખૂબ ઝડપથી ફેલાવો થયો હતો. તે સમયે આ વિશ્વનું સૌથી પ્રચલિત બૌદ્ધ સાધનાનું કેન્દ્ર હતું. બૌદ્ધ લોકો અહીંયા જઇને તંત્ર મંત્રની સાધના કરતા હતા. ત્યારથી આ પરંપરા છે.
દૂર-દૂર આવતા તાંત્રિકો કરે છે પૂજા-અર્ચના
મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર અહીંયા આ 9 દિવસમાં મંદિરમાં તંત્ર મંત્ર ક્રિયાથી દેવીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન દૂરદૂરથી તાંત્રિક આવે છે. તાંત્રિક નવરાત્રીના છેલ્લા દિવસે અહીંયા નિશાપૂજા અને વિશેષ પ્રકારનું હવન કરે છે. ત્યારબાદ મહિલાઓ અને બાળકીઓના પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે.
પૂજા વિફળ ન થાય તે માટે 9 દિવસ મહિલાઓના પ્રવેશ પર લાગે છે પાબંધી
જાણવા મળી રહ્યું છે કે તંત્ર મંત્ર દરમિયાન ખરાબ શક્તિઓ આસપાસ હોય છે જે મહિલાઓના શરીરમાં પ્રવેશ કરી શકે છે. જેનાથી પૂજા પૂરી રીતે વિફળ થઇ શકે છે. પૂજા વિફળ ના થાય એના માટે 9 દિવસ મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરતી નથી. માતાનું મંદિર પાલ કાલીન માનવામાં આવે છે. માતાનું સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે.