ગુજરાતીઓ માટે દશેરા એટલે ફાફડા-જલેબી ખાવાનો તહેવાર. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા કેવી શરૂ થઇ? જો તમે નથી જાણતા તો આજે અમે તમને ઝણાવવા જઇ રહ્યા છીએ કે આ દિવસે ફાફડા જલેબી કેમ ખાવામાં આવે છે.
જલેબી અને ફાફડા સાથે એખ પ્રાચીન કથા જોડાયેલી છે. ભગવાન શ્રી રામને જલેબી ખૂબ પસંદ હતી. એ સમયે જલેબીને શશકૌલી તરીકે ઓળખવામાં આવી હતી. જેથી લોકો રામની રાવણ પર જીતને સેલિબ્રેટ કરવા આ દિવસે જલેબી ખાય છે. હિંદુ સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે તમારે ઉપવાસ ચણાના લોટથી જ તોડવો જોઇએ. આથી નવરાત્રીના 9 દિવસ પછી દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે.
આ સિઝનમાં જલેબી ખાવી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. અત્યારે હવામાનમાં ખૂબ જ ફેરફાર આવતા હોય છે. જેના કારણે ઘણા લોકોને માઇગ્રેનની સમસ્યા થઇ જાય છે. ગરમા ગરમ જલેબી ખાવાથી માઇગ્રેનની સમસ્યા દૂર થાય છે. તેમાં ટિરામાઇન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કંટ્રોલ કરે છે. દૂધનમાં જલેબી ડૂબાડીને ખાવાથી વધુ ફાયદો થાય છે.
ઉપવાસ દરમિયાન શરીરમાં બ્લડ શુગર લેવલ ડાઉન થઇ જાય છે. પરંતુ જલેબી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે. જો કે એનો અર્થ એવો નથી તમે ભરપૂર પ્રમાણમાં જલેબી ખાવ.