નવરાતરમાં માતાજીની શક્તિપીઠ અને મંદિરના સમય જાણવા જરૂરી હોય છે. અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલામાં માતાજીના મંદિરમાં દર્શનના સમય અને કાર્યક્રમ જાણવા વાંચો અહેવાલ
ગુજરાતમાં આવેલ શક્તિપીઠ અને માતાના મંદિરમાં નવરાત્રી (Navrati )માં શું કાર્યક્રમ છે તે જાણવું જરૂરી છે ત્યારે આવો જાણીએ અંબાજી, પાવાગઢ, બહુચરાજી અને ચોટીલામાં શું છે આરતી પ્રસાદ અને દર્શનનો સમય
અંબાજી ( Ambaji )માં આસો સુદ એકમને શનિવારથી એટલે કે 17મી ઓક્ટોબર 2020થી શરૂ થઈ રહેલ માં અંબાના નોરતામાં યાત્રાળુઓએ સમય નોંધી લેવા જરૂરી છે.
અંબાજીમાં શું રહેશે સમય
સવારે આરતીનો સમય 7.30 થી 8 વાગ્યા સુધીનો રહેશે. સવારે દર્શનનો સમય 8થી 11.30નો રહેશે
જ્યારે રાજભોગ બપોરે 12.30થી 16.15 દરમિયાન ધરાવાશે
સાંજની આરતીનો સમય 18.30થી 19 સુધીનો રહેશે
સાંજે દર્શનનો સમય 19થી 21 વાગ્યા સુધીનો રહેશે.
નવરાત્રીમાં અંબાજીમાં શું છે કાર્યક્રમ
નવરાત્રીના કાર્યક્રમોમાં શનિવારે સવારે 8 થી 9 સુધીમાં માતાજીનો ઘડો સ્થાપન કરવામાં આવશે.
આસો સુદ આઠમને શનિવાર તા. 24મી ઓક્ટોબર 2020ના આઠમની આરતી વહેલી સવારે 6 વાગ્યે કરવામાં આવશે.
વિજયાદશમી રવિવાર 25મી ઓક્ટોબર 2020ના રોજ ઉજવાશે જેનો સમય સાંજે 6.15નો રહેશે.
આસો સુદ પૂનમને દિવસે સવારે 6 વાગ્યે આરતી કરવામાં આવશે.
31મી ઓક્ટોબર 2020ને શનિવારે રાતે 12 કલાકે દૂધપૌંઆનો કાર્યક્રમ અને કપૂર આરતી કરવામાં આવશે.
બહુચરાજીમાં જાણીલો આરતીનો સમય અને કાર્યક્રમ
યાત્રાધામ બહુચરાજી (Bahucharaji)માં નવરાત્રિ નિમિત્તે 9 દિવસ વિવિધ કાર્યક્રમ વિધિવિધાન મુજબ કરવામાં આવશે, પણ માઇભક્તો ચાચરચોકમાં ગરબા નહિ ઘૂમી શકે. યાત્રાધામ બહુચરાજીમાં ઇતિહાસમાં પ્રથમ વખત આઠમ અને દશેરા (Dashera)ની માતાજીની શાહી સવારી પણ નહીં નીકળે. માં બહુચરના ચાચર ચોકમાં માં બહુચરના ખોળામાં ગરબા ગાવા એ એક અનોખો આનંદ જોવા મળતો હોય છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર માતાજીની ગરબીની જગ્યાએ આરતી જ કરવામાં આવશે.
આ વખતની નવરાત્રી મહોત્સવની રૂપરેખા જોઈએ તો
16/10/20 ને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે માતાજીના મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે.
17/10/20 ને શનિવારે સવારે 7:30 કલાકે માતાજીના ગર્ભ ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.
22/10/20 ગુરુવારે સવારે 10 કલાકે સતચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે.
16 તારીખથી મંદિરના દરવાજા દર્શન માટે બંધ કરાશે. દર્શનાર્થીઓ માત્ર માતાના વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. મંદિરની વેબસાઇટથી ભક્તો મા પાવાગઢવાળીના દર્શન કરી શકાશે
યાત્રાધામ પાવાગઢ મંદિર નવરાત્રીમાં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે માઈ ભક્તોમાં ઉદાસીનતા વ્યાપી ગઈ છે. કોવિડની સ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં વધુ વસ્તી ભેગી થવાના ડરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તળેટીમાં LEDથી ભક્તો વર્ચ્યુઅલ દર્શન કરી શકશે. તેના માટે તળેટીમાં એલઇડી સ્ક્રીન મુકાશે. વર્ચ્યુઅલ દર્શન માટે આવતાં દર્શનાર્થીઓ માટે પણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરાશે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રસાશને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિરમાં મહાકાળી માતાના દર્શન માટે 8થી 10 લાખ લોકો આવે છે, જેને પગલે કોરોના સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઇ જવાની શક્યતા હોવાથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે.
નવરાત્રી દરમિયાન 17 ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે 8થી 11:30, બપોરે 12:30થી 4:15 અને સાંજે 7થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે અને દરેક યાત્રાળુઓએ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝ અને સ્ક્રિનિંગ થયા પછી જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે અને 10 વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને દર્શન કરવા માટે ન આવવા માટે મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે.
ચોટીલા ( chotila )માં શું છે દર્શનના સમય
17મી તારીખે સવારે 8.30 વાગ્યે મંદિના નીચેનો મુખ્ય દ્વાર ખુલશે
ઉપરનું ગર્ભગૃહ 9 વાગ્યે ખુલી જશે
નવે દિવસ માતાજીને અવનવા શણગાર કરવામાં આવશે.
ટ્રસ્ટ પરિવારનો અનુરોધ કર્યો હતો કે, 9 વર્ષથી નાના બહાળકો અને મોટી ઉંમરના વડિલો દર્શને ન આવે