આજથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે. અને પહેલા દિવસે જ નવરાત્રિના કળશની સ્થાપના પણ કરવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા- અર્ચના કરવામાં આવે છે અને લોકો આ 9 દિવસ ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે. પહેલાં દિવસે કળશ સ્થાપાનું પણ ખાસ મહત્વ હોય છે. જાણી લો કળશ સ્થાપના માટેના શુભ મૂહૂર્ત.
નવરાત્રિનું પાવન પર્વ શરૂ
કળશ સ્થાપના માટે આ છે શુભ મૂહૂર્ત
સવારે 6.16 મિનિટથી 7.40 સુધીનું મૂહૂર્ત શુભ
દિવસે 11.48થી 12.35 મિનિટ સુધીનું મૂહૂર્ત શુભ
કળશ સ્થાપનાનું શુભ મૂહૂર્ત
આજે માતાજીના કળશની સ્થાપનાની સાથે સાથે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા દુર્ગાની કૃપા મેળવવા માટે કળશની સ્થાપના યોગ્ય સમયે કરવી જરૂરી છે. આ વર્ષે નવરાત્રિમાં કળશ સ્થાપના માટે સવારે 6.16 મિનિટથી 7.40 સુધી અને દિવસે 11.48થી 12.35 મિનિટ સુધીનું મૂહૂર્ત શુભ છે. આ સમયે તમે નવરાત્રિના કળશની સ્થાપના કરી શકો છો.
આ રીતે કરો સ્થાપના
નવરાત્રિમાં 9 દિવસ સુધી માની આરાધના કરવાથી માતા પોતાના ભક્તોની મનોકામના પૂરી કરે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. ઘટ સ્થાપના એટલે કળશ સ્થાપના.
નદીની રેતીનો આ માટે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. માટીની સાથે તેમાં જવ ઉમેરો. આ સિવાય કળશમાં ગંગાજળ, લવિંગ, એલચી, પાન, સોપારી, રોલી, કલાવા, ચંદન, ચોખા, હળદર, રુપિયો અને ફૂલ મૂકો, પછી 'ઓમ ભૂમ્યૈ નમઃ' મંત્રનો જાપ કરતાંની સાથે સાત અનાજને રેતી ઉપર સ્થાપિત કરો.
કળશની સાથે જ 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવો. કળશ સ્થાપનાના પૂજા સ્થાને અલગ પાટલા પર લાલ અને સફેદ કપડું પાથરો. તેની પર ચોખા અને અષ્ટદલ બનાવો અને તેની પર પાણી ભરેલો કળશ સ્થાપિત કરો.
ધ્યાન રાખો કે કળશનું મોઢું હંમેશા ઢાંકેલું હોય. તેને કોઈ વસ્તુથી ઢાંકો, કળશમાં ચોખા ભરો અને તેની વચ્ચે નારિયેળ રાખો. કળશની સ્થાપના કરી રહ્યા છો તો બંને સમયે મંત્રનો જાપ કરો. હનુમાન ચાલીસા કે સપ્તશતીનો પાઠ તેના માટે યોગ્ય છે. પૂજા કર્યા બાદ માતાજીને બંને સમયે ભોગ ધરો.